RSS

Monthly Archives: ડિસેમ્બર 2019

વર્ષની છેલ્લી સાંજે


આજે પાછા વળીને જોઉં છું, વીતેલા આ 
બાર મહીનાને,

દુખ જોયા, સુખ જોયા,
હતાશામાંથી પસાર થયા,
નિરાશામાંથી બહાર આવ્યા,
હસ્યા ખૂબ, રડ્યા પણ ઘણીવાર,

પણ દરેક ક્ષણમાં તમારો સંગાથ,
મારા રોમરોમને ઍહ્સાસ અપાવતો
રહ્યો કે
તમે મારા છો, ફક્ત મારા,
અને હું તમારો છું ફક્ત તમારો

આવો સાથે મળી નાવા વર્ષને વધાવીયે,
નવા દિવસો હશે, નવા સુખ-દુ:ખ પણ,

પણ વાયદો કરું છું કે
હું તે જ હોઇશ,
તમારુ અડધુ અંગ,
દરેક ક્ષણ તમારી સાથે.

 
Leave a comment

Posted by on ડિસેમ્બર 31, 2019 માં Poems / कविताए

 

આસ્થા


“હેલ્લો અભય, હું આસ્થા “

“હા બોલને, કેમ અચાનક આમ ફોન કર્યો? તું ઠીક તો છો ને?”

“સવાલ પછી કરો, પેલા સાંભળો, તમે અહીં આવી શકશો ?”

“હાં, પણ થયું શું એ કહીશ?”

“આજે આતીશ એ મારા પર ફરી હાથ ઉપાડ્યો સાહેબ.” આટલું બોલીને એ રડવા લાગી.

“ઓયે શું વાત કરે છે તું!!!? તે તારા ઘરમાં વાત કરી?”

“ના, પહેલાં તમને જ ફોન કર્યો, તમે કહ્યું હતું ને કે જરૂર પડે ત્યારે યાદ કરજે, તો આજે પેલા તમારી કમી મહસૂસ થઇ એટલે પેલા તમને ફોન કર્યો.”

“પણ આવું બધું થયું ક્યાં કારણોસર?”

“એ જ બધું, જે સગાઈ અને લગન ની વચ્ચે મગજમારી થઇ હતી એ વાત એ અત્યારે લઈને બેઠા છે, તમને પણ ખબર છે કે એમાં મારો કોઈ વાંક નહોતો અને તો પણ મારાં પપ્પાએ એમની આબરૂ ખાતર આતીશ ના અને એમના મમ્મી-પાપા ની સામે હાથ પગ જોડવા પડ્યા તા.”

(આસ્થા અને આતીશના લગ્ન પહેલા આસ્થાના કોઈ એક તરફા પ્રેમીએ ફોટોશોપ ની મદદથી આસ્થા અને એના ફોટો આતિશના ઘરે મોકલાવી દીધા હતાં, જેની જાણ આસ્થાએ અભયને બહું સમય પછી જણાવી હતી )

“હાં , એ તે મને બહુ સમય પછી કહ્યું હતું અને હું તારા પર ગુસ્સો પણ થયો હતો, પણ એ વાત નું અત્યારે શું ?”

“એમનો મગજ ખરાબ થાય યા છટકે ત્યારે એ બધું યાદ કરીને મને હેરાન કરે, સંભળાવે અને બહું ગુસ્સામાં હોઈ ત્યારે હાથ પણ ઉપાડી લેઇ છે, એ પણ ના જોવે કે મારા પેટમાં એમનું સંતાન છે, હું પ્રેગ્નેન્ટ હતી ત્યારે પણ મને એક વાર ઘરની બહાર કાઢી મૂકી હતી.”

“તો ત્યારે તે મને કેમ વાત ના કરી?”

“ક્યાં મોઢે વાત કરું? અને કરું તો પણ ક્યાં કરું? તમે તો ત્યારે આ બધું બન્યું એટલે ઘરથી દૂર ચાલ્યા ગ્યાં હતા, અને તમારો મોબાઇલ નંબર પણ બદલાઈ ગયો હતો.”

“જો સંભાળ, જૂની વાત ભૂલી જા, અત્યારે તું તારા ઘરે વાત કર, અને બધું કહે જે થયું હોઈ એ બધું જ. “

“એ કોઈ નહિ આવે સાહેબ, મને પેલા પણ અનુભવ થયો છે, એ બધાજ આતીશ નો જ પક્ષ લેશે, અને મને સમજાવશે કે એડજસ્ટ કર. પણ હું કેટલું એડજસ્ટ કરું? મારો ક્યાંય વાંક ના હોઈ તો હું કેમ સાંભળી શકું? મારા ઘરના આવીને મને જ સમજાવશે, એ લોકોની નઝરમાં આતીશ બહુંજ સારો માણસ છે, સાથે રહે તો ખબર પડે. તમને પહેલા પણ કહ્યું છે કે એ અને અડે એ પણ નથી ગમતું, તો પણ હું મારા ઘર ની અને મારા મમ્મી પપ્પાની આબરૂ સાચવવા એને સહન કરું છું, અને એને પણ મારી કોઈ કિંમત નથી યાર, સહનશક્તિ ની હદ આવી ગઈ મારી એટલે મેં બહું મહેનત પછી તમારો નંબર મેળવીને તમને ફોન કર્યો, પ્લીઝ આ વખતે મને નિરાશ ના કરતાં.” આસ્થા આટલું બોલીને રડવા લાગી.

“મને ખબર છે કે મેં તારો ભરોસો તોડ્યો તારી વાત ના માની ને, અને ત્યારે જે બન્યું સગાઇ અને લગનની વચ્ચે, એટલે જ એ વાત તે મને ત્યારે ના કહી, પણ આ વખતે હું તને નિરાશ નહિ કરું, તું મને તારા ઘરનું સરનામું મેસેજ કર, હું આવું છું.”

અભય, આસ્થા ના લગન પછી મુંબઈ શિફ્ટ થઇ ગયો હતો, આસ્થા એ મેસેજ કર્યો એ પહેલા જ અભય ત્યાં જવા માટે નીકળી ગયો હતો, ફ્લાઈટ ની ટિકિટ ના મળી એટલે એ કાર માં ત્યાં જવા રવાના થઇ ગયો, અને આસ્થા ને મેસેજ કરીને જાણ કરી દીધી કે : “હું નીકળી ગયો છું.”

*******

અભય 550 કિલોમીટર નું અંતર ફક્ત 5 કલાકમાં કાપીને આસ્થા એ આપેલ એના ઘરના સરનામે પહોંચી જાય છે અને રસ્તામાં કાર કરતાં એના મનમાં ભૂતકાળની ઘટનાઓ ડબલ સ્પીડથી ફરી વળે છે, અને ચાર ગણી સ્પીડથી આગળ શું કરવું એ વિષે બધું પ્લાન કરી લે છે, જેથી કરીને આસ્થાને હવે કોઈ જાતની તકલીફ ના પડે. આસ્થાના ઘરે પહોંચીને ડોરબેલ વગાડે છે, અને આતીશ દરવાજો ખોલે છે.

“કોનું કામ છે?” દરવાજો ખોલતા આતીશ અભયને પૂછે છે.

“તમારું જ કામ છે” એટલું બોલીને અભય ઘરમાં આવી જાય છે અને આસ્થા ને બૂમ પાડે છે.

આસ્થા આંખો નીચે કાળા કુંડાળા, રડીને લાલ થઈ ગયેલી આંખોમાં આશ્ચર્ય અને અવાજમાં ભીનાશ સાથે અભયને આવકારે છે, અને આતિશને ઓળખાણ આપે છે. અભય ને નામથી આતીશ ઓળખતો હોય છે કારણકે આસ્થા એવી વાતમાં માનતી હતી કે લગ્નજીવન માં પતિ પત્ની એ કોઈ વાત છુપાવી ના જોઈએ, અને એની આવી માન્યતાએ જ એને બહુ દુઃખ અને તકલીફ આપી હતી, આતીશ વારેઘડી એને લીધે આસ્થાને શાબ્દિક અને શારીરિક તકલીફ આપતો હતો.

“શું થયું? ખુલીને વાત કર હવે.” એટલું કહીને અભયે આસ્થાનો ભય દૂર કરવાની કોશિશ કરી.

“તમને કોને હક આપ્યો અમારી લાઈફમાં દખલ કરવાનો?” ગુસ્સાથી લાલચોળ થઈને આતીશ બરાડ્યો.

“આસ્થાએ. અને રાડો પાડીને માણસ ભેગું કરવું હોઈ તો મને એમાં વાંધો નથી, પણ આબરૂ તમારી જશે, બહેતર છે કે બંધ બારણે શાંતિથી વાત કરીએ અને રસ્તો કાઢીએ.” સ્વભાવ અને પ્રકૃતિ થી ગરમ એવા અભયે એનાથી વિપરીત બહુંજ ઠંડા કલેજે કહ્યું પણ આંખોમાં ગુસ્સો હતો એ આતીશ જાણી ગયો અને શાંત થઈ ગયો.

આસ્થા: “બધુજ તમને ફોનમાં કહ્યું હતું, આમની મરજી વગર હું ઘરની બહાર કે પિયર પણ નથી જતી, એ કહે દિવસ તો દિવસ અને રાત તો રાત કહું છું. એમને હું કોઈ જોડે બોલું તો પણ નથી ગમતું તો હું એ પણ નથી કરતી. ગરબાનો શોખ, રેડીઓ અને ગીત સાંભળવાનો શોખ, પેઇન્ટિંગ નો શોખ, ફરવાનો શોખ, મને કેટલો હતો એ તમને ખબર છે, પણ મેં એ બધુજ એમને ગમતું નહોતું તો મૂકી દીધું, બીજીવાર એ બાબત ની વાત પણ નથી કરી.

એમની ઓફિસનો ગુસ્સો એ ઘરે લઈને આવે અને એ બધું મારા ઉપર કાઢે રોજ તો એ ક્યાં સુધી સહન કરું? ‘પરી’ પેટમાં હતી ત્યારે પણ મારી પર શક કર્યો હતો, અને મને મારી પણ હતી અને ઘરમાંથી કાઢી મૂકી હતી, આખી રાત મેં દાદરે બેસીને કાઢી હતી, સવારે બાજુવાળા આંટી જાગ્યા અને એમને બધી વાત કરી, ત્યારે મમ્મી પાપા અને સાસુ સસરાની દરમ્યાનગીરી થી વાત શાંત થઇ ગઈ હતી.

એ મને અડે છે તો પણ મને નથી ગમતું, પણ હું મારા સંસ્કાર નથી ભૂલી અને પત્નીધર્મ નિભાવું છું અને એક દીકરીને જન્મ આપ્યો. પણ અભય, હવે સહન નથી થતું, એમને ગમતું બધુજ કરું છું, ના ગમતું કઈ નથી કરતી, તો પણ એ જૂની વાત ઉખેડીને અને શક કરીને મને બહુંજ હેરાન કરે છે. હું બધું સહન કરી શકું પણ મારા મમ્મી પપ્પા વિષે કાંઈ બોલે એટલે પછી મારાથી સહન ના થાય અને મારા કીધે બોલાઈ જાય છે, ત્યારે એમનો હાથ એમની જીભની જગ્યા લઇ લે છે અને મને મારે છે. હવે તમે જ કહો હું શું કરું?” આટલું બોલતાં સુધીમાં તો આસ્થા ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે.

અભય એના હાથ અને પીઠ પસવારતો એને થોડીવાર રડવા દે છે, પછી ઉભો થઈને પાણી લાવીને આપે છે. આતીશ તરફ જોઈને પૂછે છે : “તારે કઈ કહેવું છે?”

આતીશ સ્તબ્ધ હતો આ બધું જોઈને. એને કલ્પના પણ ના હતી કે જે ચુપચાપ રહેનારી આસ્થા, જે એના મમ્મી પપ્પા પાસે પણ ખુલીને આટલી ફરિયાદ નહોતી કરતી, એ આ અભયને જોઈને અને એની સામે આટલું ખુલીને ફરિયાદ કરતી હતી. એને કાપો તો લોહી ના નીકળે એવી હાલત હતી એની. આજે પહેલીવાર એને એવો ડર લાગ્યો કે એ આસ્થાને ખોઈ બેસસે.

અભય એના ચહેરાનો ભાવ સમજી ગયો અને એને પાણી આપતાં કહ્યું: “આતીશ, લગ્નજીવન નો પાયો જ પ્રેમ અને વિશ્વાસ પર ટકેલો હોય છે. જો તને પ્રેમ કે વિશ્વાસ ના હોઈ તો આગળ વાત કરવાનો કોઈ મતલબ નથી. તું એમ ના માનતો કે આસ્થાના ઘરનાં સિવાય આસ્થાનું કોઈ નથી. એવું પણ ના વિચારતો કે ‘પરી’ સાથે આસ્થાને કોઈ સ્વીકારશે નહીં, મેં હજુ સુધી એટલે જ લગન નથી કર્યા, હું આજીવન આસ્થાની રાહ જોવા તૈયાર છું. તું આવું કરીને મારી રાહ ટૂંકાવી રહ્યો છો.

આસ્થા સમાજ અને તમારા બંનેના ઘરની આબરૂ સાચવીને બેઠી છે, તો એની કિંમત કર, કદર કર. ભગવાને આટલી સરસ ઢીંગલી ‘પરી’ ના રૂપે આપી છે, અને તને ખબર જ છે કે તેના જન્મ વખતે આસ્થાને કેટલી તકલીફનો સામનો કરવો પડ્યો હતો. તો પણ જો તને એની કદર ના હોય અને જરૂર ના હોઈ એની તો હું એને સાથે લઈ જવા માટે તૈયાર છું. સમાજ બે દિવસ વાત કરશે અને ભૂલી જાશે પણ તું ભૂલી શકીશ?”

આતીશ અંદરથી હલબલી ગયો હતો, એને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી, એ આસ્થા ની માફી માંગવા એના તરફ હાથ જોડીને રડતાં રડતાં બસ એટલું જ બોલી શક્યો : “આસ્થા, પ્લીઝ મને માફ કરી દે, હવે કોઈ ફરિયાદ નો મૌકો નહિ આપું તને.” અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. એ પસ્તાવાના આંસુ હતા એ અભય અને આસ્થા સમજી શક્યા. આસ્થાએ અભય સામે જોયું, અને અભયે ઈશારા થી આતીશ પાસે જવા કહ્યું.

એટલી વારમાં અંદર ના રૂમ માંથી પરી ભાખોડીયા ભરતી આવી અને એના મમ્મી પપ્પા પાસે ગઈ, બંનેએ એને તેડીને વહાલ વરસાવ્યું. અભયને સંતોષ થયો એ દ્રશ્ય જોઈને. પરીને એના મમ્મી પપ્પાના હાથમાંથી લઈને ચુંબનોથી નવડાવી નાખી. આસ્થાના ચહેરા પર સંતોષ અને શાંતિ હતી, ફરીયાદ ના વાદળો દૂર થઇ ગયા હતા એના ચહેરા પરથી. એ જોઈને અભયે એ બંનેની રજા માંગી નીકળવા લાગ્યો.

જતા જતા આસ્થાને કહ્યું : “આશા રાખું છું કે આ વખતે તારી મારા પ્રત્યેની આસ્થામાં હું ખરો ઉતર્યો હોઈશ.” અને આતીશ ને કહ્યું : ” કોઈના પ્રેમ – સન્માન ને ક્યારેય આપણી લાયકાત ના સમજી લેવી.”

-સમાપ્ત

*******

(આસ્થા અને અભય કેમ એક ના થઇ શક્યા અને કેમ આસ્થા એ આતીશ સાથે લગન કર્યા એ જાણવા માટે અહીં  ક્લીક કરો.)

-ચેતન ઠકરાર

મોબાઈલ : +919558767835

 
10 ટિપ્પણીઓ

Posted by on ડિસેમ્બર 31, 2019 માં SELF / स्वयं

 

ટૅગ્સ: , ,

शक्तिपीठ का अर्थ


शक्तिपीठ का अर्थ !

शक्तिपीठ, देवीपीठ या सिद्धपीठ से उन स्थानों का ज्ञान होता है, जहां शक्तिरूपा देवी का अधिष्ठान (निवास) है। ऐसा माना जाता है कि ये शक्तिपीठ मनुष्य को समस्त सौभाग्य देने वाले हैं। मनुष्यों के कल्याण के लिए जिस प्रकार भगवान शंकर विभिन्न तीर्थों में पाषाणलिंग रूप में आविर्भूत हुए, उसी प्रकार करुणामयी देवी भी भक्तों पर कृपा करने के लिए विभिन्न तीर्थों में पाषाणरूप से शक्तिपीठों के रूप में विराजमान हैं।

*******

दक्षप्रजापति ने सहस्त्रों वर्षों तक तपस्या करके पराम्बा जगदम्बिका को प्रसन्न किया और उनसे अपने यहां पुत्रीरूप में जन्म लेने का वरदान मांगा। पराशक्ति के वरदान से दक्षप्रजापति के घर में दाक्षायणी का जन्म हुआ और उस कन्या का नाम ‘सती’ पड़ा। उनका विवाह भगवान शिव के साथ हुआ। दक्ष के मन में शिव के प्रति दुर्भाव जागा। इसी कारण दक्षप्रजापति ने अपने यज्ञ में सब देवों को तो निमन्त्रित किया, किन्तु शिव को आमन्त्रित नहीं किया।

सती इस मानसिक पीड़ा के कारण पिता को उचित सलाह देना चाहती थीं, किन्तु निमन्त्रण न मिलने के कारण शिव उन्हें पिता के घर जाने की आज्ञा नहीं दे रहे थे। किसी तरह पति को मनाकर सती यज्ञस्थल पहुंचीं और पिता को समझाने लगीं। पर दक्ष ने दो टूक कहा–‘शिव अमंगलस्वरूप हैं। उनके सांनिध्य में तुम भी अमंगला हो गयी हो।’

मया कृतो देवयाग: प्रेतयागो न चैव हि।
देवानां गमनं यत्र तत्र प्रेतविवर्जित:।। (शिवपुराण)

अर्थात्– मैंने देवयज्ञ किया है, प्रेतयज्ञ नहीं। जहां देवताओं का आवागमन हो वहां प्रेत नहीं जा सकते। तुम्हारे पति भूत, प्रेत, पिशाचों के स्वामी हैं, अत: मैंने उन्हें नहीं बुलाया है।’

महामाया सती ने पिता द्वारा पति का अपमान होने पर उस पिता से सम्बद्ध शरीर को त्याग देना ही उचित समझा। प्राणी की तपस्या एवं आराधना से ही उसे शक्ति को जन्म देने का सौभाग्य प्राप्त होता है किन्तु यदि बीच में अहंकार और प्रमाद उत्पन्न हो जाए तो शक्ति उससे सम्बन्ध तोड़ लेती है। फिर उसकी वही स्थिति होती है जो दक्षप्रजापति की हुई।

पिता के तिरस्कार से क्रोध में सती ने अपने ही समान रूप वाली छायासती को प्रादुर्भूत (प्रकट) किया और अपने चिन्मयस्वरूप को यज्ञ की प्रखर ज्वाला में दग्ध कर दिया। शिवगणों व नारदजी के द्वारा सती के यज्ञाग्नि में प्रवेश के समाचार को जानकर भगवान शंकर कुपित हो गए। उन्होंने अपने सिर से एक जटा उखाड़ी और पर्वत पर दे मारी जिससे उसके दो टुकड़े हो गए। एक भाग से भद्रकाली और दूसरे से वीरभद्र प्रकट हुए। उनके द्वारा यज्ञ का विध्वंस कर दिया गया। सभी देवताओं ने शिव के पास जाकर स्तुति की।

आशुतोष शिव स्वयं यज्ञस्थल (कनखल-हरिद्वार) पहुंचे। सारे अमंगलों को दूर कर शिव ने यज्ञ को तो सम्पन्न करा दिया, किन्तु सती के पार्थिव शरीर को देखकर वे उसके मोह में पड़ गए। सती का शरीर यद्यपि मृत हो गया था, किन्तु वह महाशक्ति का निवासस्थान था। अर्धनारीश्वर भगवान शंकर उसी के द्वारा उस महाशक्ति में रत थे। अत: मोहित होने के कारण उस शवशरीर को छोड़ न सके।

भगवान शंकर छायासती के शवशरीर को कभी सिर पर, कभी दांये हाथ में, कभी बांये हाथ में तो कभी कन्धे पर और कभी प्रेम से हृदय से लगाकर अपने चरणों के प्रहार से पृथ्वी को कम्पित करते हुए नृत्य करने लगे–‘ननर्त चरणाघातै: कम्पयन् धरणीतलम्।’ भगवान शंकर उन्मत्त होकर नृत्य कर रहे थे। शिव के चरणप्रहारों से पीड़ित होकर कच्छप और शेषनाग धरती छोड़ने लगे। शिव के नृत्य करने से प्रचण्ड वायु बहने लगी जिससे वृक्ष व पर्वत कांपने लगे। सर्वत्र प्रलय-सा हाहाकार मच गया। ब्रह्माजी की आज्ञा से ऋषिगण स्वस्तिवाचन करने लगे। देवताओं को चिन्ता हुई कि यह कैसी विपत्ति आ गयी। ये जगत्संहारक रुद्र कैसे शान्त होंगे?

भगवान शंकर द्वारा विष्णुजी को शाप :

संसार का चक्का जाम जानकर देवताओं और भगवान विष्णु ने महाशक्ति सती के देह को शिव से वियुक्त करना चाहा। भगवान विष्णु ने शिव के मोह की शान्ति एवं अनन्त शक्तियों के निवासस्थान सती के देह के अंगों से लोक का कल्याण हो–यह सोचकर सुदर्शन चक्र द्वारा छायासती के शरीर के खण्ड-खण्ड कर दिए।

भगवान शंकर ने विष्णुजी को शाप देते हुए कहा–‘त्रेतायुग में विष्णु को पृथ्वी पर सूर्यवंश में जन्म लेना पड़ेगा। जिस प्रकार मुझे छायापत्नी का वियोगी बनना पड़ा, उसी प्रकार राक्षसराज रावण विष्णु की छायापत्नी का हरण करके उन्हें भी वियोगी बनायेगा। विष्णु मेरी ही भांति शोक से व्याकुल होंगे।’

शक्तिपीठों का प्रादुर्भाव : – सती के मृत शरीर के विभिन्न अंग और उनमें पहने आभूषण ५१ स्थलों पर गिरे जिससे वे स्थल शक्तिपीठों के रूप में जाने जाते हैं। सती के शरीर के हृदय से ऊपर के भाग के अंग जहां गिरे वहां वैदिक एवं दक्षिणमार्ग की और हृदय से नीचे भाग के अंगों के पतनस्थलों में वाममार्ग की सिद्धि होती है।

51 शक्तिपीठों का संक्षिप्त विवरण :

1. किरीट शक्तिपीठ पश्चिम बंगाल के हुगली नदी के तट लालबाग कोट पर स्थित है किरीट शक्तिपीठ, जहां सती माता का किरीट यानी शिराभूषण या मुकुट गिरा था। यहां की शक्ति विमला अथवा भुवनेश्वरी तथा भैरव संवर्त हैं। इस स्थान पर सती के ‘किरीट (शिरोभूषण या मुकुट)’ का निपात हुआ था। कुछ विद्वान मुकुट का निपात कानपुर के मुक्तेश्वरी मंदिर में मानते हैं।

2. कात्यायनी पीठ वृन्दावन वृन्दावन, मथुरा में स्थित है कात्यायनी वृन्दावन शक्तिपीठ जहां सती का केशपाश गिरा था। यहां की शक्ति देवी कात्यायनी हैं। यहाँ माता सती ‘उमा’ तथा भगवन शंकर ‘भूतेश’ के नाम से जाने जाते है।

3. करवीर शक्तिपीठ महाराष्ट्र के कोल्हापुर में स्थित ‘महालक्ष्मी’ अथवा ‘अम्बाईका मंदिर’ ही यह शक्तिपीठ है। यहां माता का त्रिनेत्र गिरा था। यहां की शक्ति ‘महिषामर्दिनी’ तथा भैरव क्रोधशिश हैं। यहां महालक्ष्मी का निज निवास माना जाता है।

4. श्री पर्वत शक्तिपीठ यहां की शक्ति श्री सुन्दरी एवं भैरव सुन्दरानन्द हैं। कुछ विद्वान इसे लद्दाख (कश्मीर) में मानते हैं, तो कुछ असम के सिलहट से 4 कि.मी. दक्षिण-पश्चिम (नैऋत्यकोण) में जौनपुर में मानते हैं। यहाँ सती के ‘दक्षिण तल्प’ (कनपटी) का निपात हुआ था।

5. विशालाक्षी शक्तिपीठ उत्तर प्रदेश, वाराणसी के मीरघाट पर स्थित है शक्तिपीठ जहां माता सती के दाहिने कान के मणि गिरे थे। यहां की शक्ति विशालाक्षी तथा भैरव काल भैरव हैं। यहाँ माता सती का ‘कर्णमणि’ गिरी थी। यहाँ माता सती को ‘विशालाक्षी’ तथा भगवान शिव को ‘काल भैरव’ कहते है।

6. गोदावरी तट शक्तिपीठ आंध्र प्रदेश के कब्बूर में गोदावरी तट पर स्थित है यह शक्तिपीठ, जहाँ माता का वामगण्ड यानी बायां कपोल गिरा था। यहां की शक्ति विश्वेश्वरी या रुक्मणी तथा भैरव दण्डपाणि हैं। गोदावरी तट शक्तिपीठ आन्ध्र प्रदेश देवालयों के लिए प्रख्यात है। वहाँ शिव, विष्णु, गणेश तथा कार्तिकेय (सुब्रह्मण्यम) आदि की उपासना होती है तथा अनेक पीठ यहाँ पर हैं। यहाँ पर सती के ‘वामगण्ड’ का निपात हुआ था।

7. शुचींद्रम शक्तिपीठ तमिलनाडु में कन्याकुमारी के त्रिासागर संगम स्थल पर स्थित है यह शुचींद्रम शक्तिपीठ, जहाँ सती के ऊर्ध्वदंत (मतान्तर से पृष्ठ भागद्ध गिरे थे। यहां की शक्ति नारायणी तथा भैरव संहार या संकूर हैं। यहाँ माता सती के ‘ऊर्ध्वदंत'[7] गिरे थे। यहाँ माता सती को ‘नारायणी’ और भगवान शंकर को ‘संहार’ या ‘संकूर’ कहते है। तमिलनाडु में तीन महासागर के संगम-स्थल कन्याकुमारी से 13 किमी दूर ‘शुचीन्द्रम’ में स्याणु शिव का मंदिर है। उसी मंदिर में ये शक्तिपीठ है।

8. पंच सागर शक्तिपीठ इस शक्तिपीठ का कोई निश्चित स्थान ज्ञात नहीं है लेकिन यहां माता के नीचे के दांत गिरे थे। यहां की शक्ति वाराही तथा भैरव महारुद्र हैं। पंच सागर शक्तिपीठ में सती के ‘अधोदन्त'[8] गिरे थे। यहाँ सती ‘वाराही’ तथा शिव ‘महारुद्र’ हैं।

9. ज्वालामुखी शक्तिपीठ हिमाचल प्रदेश के काँगड़ा में स्थित है यह शक्तिपीठ, जहां सती का जिह्वा गिरी थी। यहां की शक्ति सिद्धिदा व भैरव उन्मत्त हैं। यह ज्वालामुखी रोड रेलवे स्टेशन से लगभग 21 किमी दूर बस मार्ग पर स्थित है। यहाँ माता सती ‘सिद्धिदा’ अम्बिका तथा भगवान शिव ‘उन्मत्त’ रूप में विराजित है। मंदिर में आग के रूप में हर समय ज्वाला धधकती रहती है।

10. हरसिद्धि शक्तिपीठ (उज्जयिनी शक्तिपीठ) इस शक्तिपीठ की स्थिति को लेकर विद्वानों में मतभेद हैं। कुछ उज्जैन के निकट शिप्रा नदी के तट पर स्थित भैरवपर्वत को, तो कुछ गुजरात के गिरनार पर्वत के सन्निकट भैरवपर्वत को वास्तविक शक्तिपीठ मानते हैं। अत: दोनों ही स्थानों पर शक्तिपीठ की मान्यता है। उज्जैन के इस स्थान पर सती की कोहनी का पतन हुआ था। अतः यहाँ कोहनी की पूजा होती है।

11. अट्टहास शक्तिपीठ अट्टाहास शक्तिपीठ पश्चिम बंगाल के लाबपुर (लामपुर) रेलवे स्टेशन वर्धमान से लगभग 95 किलोमीटर आगे कटवा-अहमदपुर रेलवे लाइन पर है, जहाँ सती का ‘नीचे का होठ'[9] गिरा था। इसे अट्टहास शक्तिपीठ कहा जाता है, जो लामपुर स्टेशन से नजदीक ही थोड़ी दूर पर है।

12. जनस्थान शक्तिपीठ महाराष्ट्र के नासिक में पंचवटी में स्थित है जनस्थान शक्तिपीठ जहां माता का ठुड्डी गिरी थी। यहां की शक्ति भ्रामरी तथा भैरव विकृताक्ष हैं। मध्य रेलवे के मुम्बई-दिल्ली मुख्य रेल मार्ग पर नासिक रोड स्टेशन से लगभग 8 कि.मी. दूर पंचवटी नामक स्थान पर स्थित भद्रकाली मंदिर ही शक्तिपीठ है। यहाँ की शक्ति ‘भ्रामरी’ तथा भैरव ‘विकृताक्ष’ हैं- ‘चिबुके भ्रामरी देवी विकृताक्ष जनस्थले’।[10] अत: यहाँ चिबुक ही शक्तिरूप में प्रकट हुआ। इस मंदिर में शिखर नहीं है। सिंहासन पर नवदुर्गाओं की मूर्तियाँ हैं, जिसके बीच में भद्रकाली की ऊँची मूर्ति है।

13. कश्मीर शक्तिपीठ कश्मीर में अमरनाथ गुफ़ा के भीतर ‘हिम’ शक्तिपीठ है। यहाँ माता सती का ‘कंठ’ गिरा था। यहाँ सती ‘महामाया’ तथा शिव ‘त्रिसंध्येश्वर’ कहलाते है। श्रावण पूर्णिमा को अमरनाथ के दर्शन के साथ यह शक्तिपीठ भी दिखता है।

14. नन्दीपुर शक्तिपीठ पश्चिम बंगाल के बोलपुर (शांति निकेतन) से 33 किमी दूर सैन्थिया रेलवे जंक्शन से अग्निकोण में, थोड़ी दूर रेलवे लाइन के निकट ही एक वटवृक्ष के नीचे देवी मन्दिर है, यह 51 शक्तिपीठों में से एक है। यहाँ देवी के देह से ‘कण्ठहार’ गिरा था।

15. श्री शैल शक्तिपीठ आंध्र प्रदेश की राजधानी हैदराबाद से 250 कि.मी. दूर कुर्नूल के पास ‘श्री शैलम’ है, जहाँ सती की ‘ग्रीवा’ का पतन हुआ था। यहाँ की सती ‘महालक्ष्मी’ तथा शिव ‘संवरानंद’ अथवा ‘ईश्वरानंद’ हैं।

16. नलहाटी शक्तिपीठ पश्चिम बंगाल के बोलपुर में है नलहरी शक्तिपीठ, जहां माता का उदरनली गिरी थी। यहां की शक्ति कालिका तथा भैरव योगीश हैं। यहाँ सती की ‘उदर नली’ का पतन हुआ था।[11] यहाँ की सती ‘कालिका’ तथा भैरव ‘योगीश’ हैं।

17. मिथिला शक्तिपीठ यहाँ माता सती का ‘वाम स्कन्ध’ गिरा था। यहाँ सती ‘उमा’ या ‘महादेवी’ तथा शिव ‘महोदर’ कहलाते हैं। इस शक्तिपीठ का निश्चित स्थान बताना कुछ कठिन है। स्थान को लेकर कई मत-मतान्तर हैं। तीन स्थानों पर ‘मिथिला शक्तिपीठ’ को माना जाता है। एक जनकपुर (नेपाल) से 51 किमी दूर पूर्व दिशा में ‘उच्चैठ’ नामक स्थान पर ‘वन दुर्गा’ का मंदिर है। दूसरा बिहार के समस्तीपुर और सहरसा स्टेशन के पास ‘उग्रतारा’ का मंदिर है। तीसरा समस्तीपुर से पूर्व 61 किमी दूर सलौना रेलवे स्टेशन से 9 किमी दूर ‘जयमंगला’ देवी का मंदिर है। उक्त तीनों मंदिर को विद्वजन शक्तिपीठ मानते है।

18. रत्नावली शक्तिपीठ रत्नावली शक्तिपीठ का निश्चित्त स्थान अज्ञात है, किंतु बंगाल पंजिका के अनुसार यह तमिलनाडु के मद्रास[12] में कहीं है। यहाँ सती का ‘दायाँ कन्धा’ गिरा था। यहां की शक्ति कुमारी तथा भैरव शिव हैं।

19. अम्बाजी शक्तिपीठ यहाँ माता सती का ‘उदार’ गिरा था। गुजरात, गुना गढ़ के गिरनार पर्वत के प्रथत शिखर पर माँ अम्बा जी का मंदिर ही शक्तिपीठ है। यहाँ माता सती को ‘चंद्रभागा’ और भगवान शिव को ‘वक्रतुण्ड’ के नाम से जाना जाता है। ऐसी भी मान्यता है कि गिरिनार पर्वत के निकट ही सती का उर्द्धवोष्ठ गिरा था, जहाँ की शक्ति अवन्ती तथा भैरव लंबकर्ण है।

20. जालंधर शक्तिपीठ यहाँ माता सती का ‘बायां स्तन’ गिरा था। यहाँ सती को ‘त्रिपुरमालिनी’ और शिव को ‘भीषण’ के रूप में जाना जाता है। यह शक्तिपीठ पंजाब के जालंधर में स्थित है। इसे त्रिपुरमालिनी शक्तिपीठ भी कहते हैं।

21. रामगिरि शक्तिपीठ रामगिरि शक्तिपीठ की स्थिति को लेकर मतांतर है। कुछ मैहर, मध्य प्रदेश के ‘शारदा मंदिर’ को शक्तिपीठ मानते हैं, तो कुछ चित्रकूट के शारदा मंदिर को शक्तिपीठ मानते हैं। दोनों ही स्थान मध्य प्रदेश में हैं तथा तीर्थ हैं। रामगिरि पर्वत चित्रकूट में है। यहाँ देवी के ‘दाएँ स्तन’ का निपात हुआ था।

22. वैद्यनाथ का हार्द शक्तिपीठ शिव तथा सती के ऐक्य का प्रतीक झारखण्ड के गिरिडीह जनपद में स्थित वैद्यनाथ का ‘हार्द’ या ‘हृदय पीठ’ है और शिव का ‘वैद्यनाथ ज्योतिर्लिंग’ भी यहीं है। यह स्थान चिताभूमि में है। यहाँ सती का ‘हृदय’ गिरा था। यहाँ की शक्ति ‘जयदुर्गा’ तथा शिव ‘वैद्यनाथ’ हैं।

23. वक्त्रेश्वर शक्तिपीठ माता का यह शक्तिपीठ पश्चिम बंगाल के सैन्थया में स्थित है जहां माता का मन गिरा था। यहां की शक्ति महिषासुरमदिनी तथा भैरव वक्त्रानाथ हैं। यहाँ का मुख्य मंदिर वक्त्रेश्वर शिव मंदिर है।

24. कन्याकुमारी शक्तिपीठ यहाँ माता सती की ‘पीठ’ गिरी थी। माता सती को यहाँ ‘शर्वाणी या नारायणी’ तथा भगवान शिव को ‘निमिष या स्थाणु’ कहा जाता है। तमिलनाडु में तीन सागरों हिन्द महासागर, अरब सागर तथा बंगाल की खाड़ी के संगम स्थल पर कन्याकुमारी का मंदिर है। उस मंदिर में ही भद्रकाली का मंदिर शक्तिपीठ है।

25. बहुला शक्तिपीठ पश्चिम बंगाल के हावड़ा से 145 किलोमीटर दूर पूर्वी रेलवे के नवद्वीप धाम से 41 कि.मी. दूर कटवा जंक्शन से पश्चिम की ओर केतुग्राम या केतु ब्रह्म गाँव में स्थित है-‘बहुला शक्तिपीठ’, जहाँ सती के ‘वाम बाहु’ का पतन हुआ था। यहाँ की सती ‘बहुला’ तथा शिव ‘भीरुक’ हैं।

26. भैरवपर्वत शक्तिपीठ यह शक्तिपीठ भी 51 शक्तिपीठों में से एक है। यहाँ माता सती के कुहनी की पूजा होती है। इस शक्तिपीठ की स्थिति को लेकर विद्वानों में मतभेद है। कुछ उज्जैन के निकट शिप्रा नदी तट स्थित भैरवपर्वत को, तो कुछ गुजरात के गिरनार पर्वत के सन्निकट भैरवपर्वत को वास्तविक शक्तिपीठ मानते हैं।

27. मणिवेदिका शक्तिपीठ राजस्थान में अजमेर से 11 किलोमीटर दूर पुष्कर एक महत्त्वपूर्ण तीर्थ स्थान है। पुष्कर सरोवर के एक ओर पर्वत की चोटी पर स्थित है- ‘सावित्री मंदिर’, जिसमें माँ की आभायुक्त, तेजस्वी प्रतिमा है तथा दूसरी ओर स्थित है ‘गायत्री मंदिर’ और यही शक्तिपीठ है। जहाँ सती के ‘मणिबंध’ का पतन हुआ था।

28. प्रयाग शक्तिपीठ तीर्थराज प्रयाग में माता सती के हाथ की ‘अँगुली’ गिरी थी। यहाँ तीनों शक्तिपीठ की माता सती ‘ललिता देवी’ एवं भगवान शिव को ‘भव’ कहा जाता है। उत्तर प्रदेश के इलाहाबाद में स्थित है। लेकिन स्थानों को लेकर मतभेद इसे यहां अक्षयवट, मीरापुर और अलोपी स्थानों में गिरा माना जाता है। ललिता देवी के मंदिर को विद्वान शक्तिपीठ मानते है। शहर में एक और अलोपी माता ललिता देवी का मंदिर है। इसे भी शक्तिपीठ माना जाता है। निश्चित निष्कर्ष पर पहुँचना कठिन है।

29. विरजा शक्तिपीठ उत्कल (उड़ीसा) में माता सती की ‘नाभि’ गिरी थी। यहाँ माता सती को ‘विमला’ तथा भगवान शिव को ‘जगत’ के नाम से जाना जाता है। उत्कल शक्तिपीठ उड़ीसा के पुरी और याजपुर में माना जाता है। पुरी में जगन्नाथ जी के मंदिर के प्रांगण में ही विमला देवी का मंदिर है। यही मंदिर शक्तिपीठ है।

30. कांची शक्तिपीठ यहाँ माता सती का ‘कंकाल’ गिरा था। देवी यहाँ ‘देवगर्मा’ और भगवान शिव का ‘रूद्र’ रूप है। तमिलनाडु के कांचीपुरम में सप्तपुरियों में एक काशी है। वहाँ का काली मंदिर ही शक्तिपीठ है।

31. कालमाधव शक्तिपीठ कालमाधव में सती के ‘वाम नितम्ब’ का निपात हुआ था। इस शक्तिपीठ के बारे कोई निश्चित स्थान ज्ञात नहीं है। परन्तु, यहां माता का ‘वाम नितम्ब’ का निपात हुआ था। यहां की शक्ति काली तथा भैरव असितांग हैं।यहाँ की सति ‘काली’ तथा शिव ‘असितांग’ हैं।

32. शोण शक्तिपीठ मध्य प्रदेश के अमरकण्टक के नर्मदा मंदिर में सती के ‘दक्षिणी नितम्ब’ का निपात हुआ था और वहाँ के इसी मंदिर को शक्तिपीठ कहा जाता है। यहाँ माता सती ‘नर्मदा’ या ‘शोणाक्षी’ और भगवान शिव ‘भद्रसेन’ कहलाते हैं।

33. कामाख्या शक्तिपीठ यहाँ माता सती की ‘योनी’ गिरी थी। असम के कामरूप जनपद में असम के प्रमुख नगर गुवाहाटी (गौहाटी) के पश्चिम भाग में नीलाचल पर्वत/कामगिरि पर्वत पर यह शक्तिपीठ ‘कामाख्या’ के नाम से सुविख्यात है। यहाँ माता सती को ‘कामाख्या’ और भगवान शिव को ‘उमानंद’ कहते है। जिनका मंदिर ब्रह्मपुत्र नदी के मध्य उमानंद द्वीप पर स्थित है।

34. जयंती शक्तिपीठ भारत के पूर्वीय भाग में स्थित मेघालय एक पर्वतीय राज्य है और गारी, खासी, जयंतिया यहाँ की मुख्य पहाड़ियाँ हैं। सम्पूर्ण मेघालय पर्वतों का प्रान्त है। यहाँ की जयंतिया पहाड़ी पर ही ‘जयंती शक्तिपीठ’ है, जहाँ सती के ‘वाम जंघ’ का निपात हुआ था।

35. मगध शक्तिपीठ बिहार की राजधानी पटना में स्थित पटनेश्वरी देवी को ही शक्तिपीठ माना जाता है जहां माता का दाहिना जंघा गिरा था। यहां की शक्ति सर्वानन्दकरी तथा भैरव व्योमकेश हैं। यह मंदिर पटना सिटी चौक से लगभग 5 कि.मी. पश्चिम में महाराज गंज (देवघर) में स्थित है।

36. त्रिस्तोता शक्तिपीठ यहाँ के बोदा इलाके के शालवाड़ी गाँव में तिस्ता नदी के तट पर ‘त्रिस्तोता शक्तिपीठ’ है, जहाँ सती के ‘वाम-चरण’ का पतन हुआ था। यहाँ की सती ‘भ्रामरी’ तथा शिव ‘ईश्वर’ हैं।

37. त्रिपुर सुन्दरी शक्तिपीठ त्रिपुरा में माता सती का ‘दक्षिण पद’ गिरा था। यहाँ माता सती ‘त्रिपुरासुन्दरी’ तथा भगवन शिव ‘त्रिपुरेश’ कहे जाते हैं। त्रिपुरा राज्य के राधा किशोरपुर ग्राम से 2 किमी दूर दक्षिण-पूर्व के कोण पर, पर्वत के ऊपर यह शक्तिपीठ स्थित है।

38. विभाष शक्तिपीठ यहाँ माता सती का ‘बायाँ टखना'[14] गिरा था। यहाँ माता सती ‘कपालिनी’ अर्थात ‘भीमरूपा’ और भगवन शिव ‘सर्वानन्द’ कपाली है। पश्चिम बंगाल के पासकुडा स्टेशन से 24 किमी दूर मिदनापुर में तमलूक स्टेशन है। वहाँ का काली मंदिर ही यह शक्तिपीठ है।

39. देवीकूप शक्तिपीठ यहाँ माता सती का ‘दाहिना टखना’ गिरा था। यहाँ माता सती को ‘सावित्री’ तथा भगवन शिव को ‘स्याणु महादेव’ कहा जाता है। हरियाणा राज्य के कुरुक्षेत्र नगर में ‘द्वैपायन सरोवर’ के पास कुरुक्षेत्र शक्तिपीठ स्थित है, जिसे ‘श्रीदेवीकूप भद्रकाली पीठ’ के नाम से जाना जाता है।

40. युगाद्या शक्तिपीठ ‘युगाद्या शक्तिपीठ’ बंगाल के पूर्वी रेलवे के वर्धमान जंक्शन से 39 किलोमीटर उत्तर-पश्चिम में तथा कटवा से 21 किमी. दक्षिण-पश्चिम में महाकुमार-मंगलकोट थानांतर्गत क्षीरग्राम में स्थित है- युगाद्या शक्तिपीठ, जहाँ की अधिष्ठात्री देवी हैं- ‘युगाद्या’ तथा ‘भैरव’ हैं- क्षीर कण्टक। तंत्र चूड़ामणि के अनुसार यहाँ माता सती के ‘दाहिने चरण का अँगूठा’ गिरा था।

41. विराट शक्तिपीठ यह शक्तिपीठ राजस्थान की राजधानी गुलाबी नगरी जयपुर से उत्तर में महाभारतकालीन विराट नगर के प्राचीन ध्वंसावशेष के निकट एक गुफा है, जिसे ‘भीम की गुफा’ कहते हैं। यहीं के वैराट गाँव में शक्तिपीठ स्थित है, जहाँ सती के ‘दायें पाँव की उँगलियाँ’ गिरी थीं।

42. कालीघाट काली मंदिर यहाँ माता सती की ‘शेष उँगलियाँ'[15] गिरी थी। यहाँ माता सती को ‘कलिका’ तथा भगवान शिव को ‘नकुलेश’ कहा जाता है। पश्चिम बंगाल, कलकत्ता के कालीघाट में काली माता का सुविख्यात मंदिर ही यह शक्तिपीठ है।

43. मानस शक्तिपीठ यहाँ माता सती की ‘दाहिनी हथेली’ गिरी थी। यहाँ माता सती को ‘दाक्षायणी’ तथा भगवान शिव को ‘अमर’ कहा जाता है। यह शक्तिपीठ तिब्बत में मानसरोवर के तट पर स्थित है।

44. लंका शक्तिपीठ श्रीलंका में, जहाँ सती का ‘नूपुर’ गिरा था। यहां की शक्ति इन्द्राक्षी तथा भैरव राक्षसेश्वर हैं। लेकिन, उस स्थान ज्ञात नहीं है कि श्रीलंका के किस स्थान पर गिरे थे।

45. गण्डकी शक्तिपीठ नेपाल में गण्डकी नदी के उद्गमस्थल पर ‘गण्डकी शक्तिपीठ’ में सती के ‘दक्षिणगण्ड'[16] का पतन हुआ था। यहां शक्ति `गण्डकी´ तथा भैरव `चक्रपाणि´ हैं।

46. गुह्येश्वरी शक्तिपीठ नेपाल में ‘पशुपतिनाथ मंदिर’ से थोड़ी दूर बागमती नदी की दूसरी ओर ‘गुह्येश्वरी शक्तिपीठ’ है। यह नेपाल की अधिष्ठात्री देवी हैं। मंदिर में एक छिद्र से निरंतर जल बहता रहता है। यहाँ की शक्ति ‘महामाया’ और शिव ‘कपाल’ हैं।

47. हिंगलाज शक्तिपीठ यहाँ माता सती का ‘ब्रह्मरंध्र’ गिरा था। यहाँ माता सती को ‘भैरवी/कोटटरी’ तथा भगवन शिव को ‘भीमलोचन’ कहा जाता है। यहाँ शक्तिपीठ पाकिस्तान के बलूचिस्तान प्रान्त के हिंगलाज में है। हिंगलाज कराची से 144 किमी दूर उत्तर-पश्चिम दिशा में हिंगोस नदी के तट पर है। यही एक गुफा के भीतर जाने पर माँ आदिशक्ति के ज्योति रूप के दर्शन होते है।

48. सुंगधा शक्तिपीठ बांग्लादेश के बरीसाल से 21 किलोमीटर उत्तर में शिकारपुर ग्राम में ‘सुंगधा'[17] नदी के तट पर स्थित ‘उग्रतारा देवी’ का मंदिर ही शक्तिपीठ माना जाता है। इस स्थान पर सती की ‘नासिका'[18] का निपात हुआ था।

49. करतोयाघाट शक्तिपीठ यहाँ माता सती का ‘वाम तल्प’ गिरा था। यहाँ माता ‘अपर्णा’ तथा भगवन शिव ‘वामन’ रूप में स्थापित है। यह स्थल बांग्लादेश में है। बोगडा स्टेशन से 32 किमी दूर दक्षिण-पश्चिम कोण में भवानीपुर ग्राम के बेगड़ा में करतोया नदी के तट पर यह शक्तिपीठ स्थित है।

50. चट्टल शक्तिपीठ चट्टल में माता सती की ‘दक्षिण बाहु'[19] गिरी थी। यहाँ माता सती को ‘भवानी’ तथा भगवन शिव को ‘चंद्रशेखर’ कहा जाता है। बंग्लादेश में चटगाँव से 38 किमी दूर सीताकुंड स्टेशन के पास चंद्रशेखर पर्वत पर भवानी मंदिर है। यही ‘भवानी मंदिर’ शक्तिपीठ है।

51. यशोर शक्तिपीठ यह शक्तिपीठ वर्तमान बांग्लादेश में खुलना ज़िले के जैसोर नामक नगर में स्थित है। यहाँ सती की ‘वाम'[20] का निपात हुआ था।

*******

 
Leave a comment

Posted by on ડિસેમ્બર 30, 2019 માં SELF / स्वयं

 

सातवां घड़ा


गाँव में एक नाई अपनी पत्नी और बच्चों के साथ रहता था। नाई ईमानदार था, अपनी कमाई से संतुष्ट था। उसे किसी तरह का लालच नहीं था। नाई की पत्नी भी अपनी पति की कमाई हुई आय से बड़ी कुशलता से अपनी गृहस्थी चलाती थी। कुल मिलाकर उनकी जिंदगी बड़े आराम से हंसी-खुशी से गुजर रही थी।

नाई अपने काम में बहुत निपुण था। एक दिन वहाँ के राजा ने नाई को अपने पास बुलवाया और रोज उसे महल में आकर हजामत बनाने को कहा।

नाई ने भी बड़ी प्रसन्नता से राजा का प्रस्ताव मान लिया। नाई को रोज राजा की हजामत बनाने के लिए एक स्वर्ण मुद्रा मिलती थी।

इतना सारा पैसा पाकर नाई की पत्नी भी बड़ी खुश हुई। अब उसकी जिन्दगी बड़े आराम से कटने लगी। घर पर किसी चीज की कमी नहीं रही और हर महीने अच्छी रकम की बचत भी होने लगी। नाई, उसकी पत्नी और बच्चे सभी खुश रहने लगे।

एक दिन शाम को जब नाई अपना काम निपटा कर महल से अपने घर वापस जा रहा था, तो रास्ते में उसे एक आवाज सुनाई दी।

आवाज एक यक्ष की थी। यक्ष ने नाई से कहा : ‘‘मैंने तुम्हारी ईमानदारी के बड़े चर्चे सुने हैं, मैं तुम्हारी ईमानदारी से बहुत खुश हूँ और तुम्हें सोने की मुद्राओं से भरे सात घड़े देना चाहता हूँ। क्या तुम मेरे दिये हुए घड़े लोगे ?”

पहले तो नाई थोड़ा डरा, पर दूसरे ही पल उसके मन में लालच आ गया और उसने यक्ष के दिये हुए घड़े लेने का निश्चय कर लिया।

नाई का उत्तर सुनकर उस आवाज ने फिर नाई से कहा : ‘‘ठीक है सातों घड़े तुम्हारे घर पहुँच जाएँगे।’’

जब उस दिन नाई घर पहुँचा, वाकई उसके कमरे में सात घड़े रखे हुए थे। नाई ने तुरन्त अपनी पत्नी को सारी बातें बताईं और दोनों ने घड़े खोलकर देखना शुरू किया। उसने देखा कि छः घड़े तो पूरे भरे हुए थे, पर सातवाँ घड़ा आधा खाली था।

नाई ने पत्नी से कहा : ‘‘कोई बात नहीं, हर महीने जो हमारी बचत होती है, वह हम इस घड़े में डाल दिया करेंगे। जल्दी ही यह घड़ा भी भर जायेगा। और इन सातों घड़ों के सहारे हमारा बुढ़ापा आराम से कट जायेगा।”

अगले ही दिन से नाई ने अपनी दिन भर की बचत को उस सातवें घड़े में डालना शुरू कर दिया। पर सातवें घड़े की भूख इतनी ज्यादा थी कि वह कभी भी भरने का नाम ही नहीं लेता था।

धीरे-धीरे नाई कंजूस होता गया और घड़े में ज्यादा पैसे डालने लगा, क्योंकि उसे जल्दी से अपना सातवाँ घड़ा भरना था।

नाई की कंजूसी के कारण अब घर में कमी आनी शुरू हो गयी, क्योंकि नाई अब पत्नी को कम पैसे देता था। पत्नी ने नाई को समझाने की कोशिश की, पर नाई को बस एक ही धुन सवार थी “सातवां घड़ा भरने की।”

अब नाई के घर में पहले जैसा वातावरण नहीं था। उसकी पत्नी कंजूसी से तंग आकर बात-बात पर अपने पति से लड़ने लगी। घर के झगड़ों से नाई परेशान और चिड़चिड़ा हो गया।

एक दिन राजा ने नाई से उसकी परेशानी का कारण पूछा। नाई ने भी राजा से कह दिया अब मँहगाई के कारण उसका खर्च बढ़ गया है। नाई की बात सुनकर राजा ने उसका मेहनताना बढ़ा दिया, पर राजा ने देखा कि पैसे बढ़ने से भी नाई को खुशी नहीं हुई, वह अब भी परेशान और चिड़चिड़ा ही रहता था।

एक दिन राजा ने नाई से पूछ ही लिया कि कहीं उसे यक्ष ने सात घड़े तो नहीं दे दिये हैं ? नाई ने राजा को सातवें घड़े के बारे में सच-सच बता दिया।

तब राजा ने नाई से कहा कि : “सातों घड़े यक्ष को वापस कर दो, क्योंकि सातवां घड़ा साक्षात लोभ है, उसकी भूख कभी नहीं मिटती।”

नाई को सारी बात समझ में आ गयी। नाई ने उसी दिन घर लौटकर सातों घड़े यक्ष को वापस कर दिये।

घड़ों के वापस जाने के बाद नाई का जीवन फिर से खुशियों से भर गया था।

निष्कर्ष : हे आत्मन्! लोभ या लालच का घड़ा कभी नहीं भरता। क्यों कि लोभ ही सब पापों का बाप है। हम जितने भी पाप करते हैं सब लोभ के वश होकर करते हैं। इसलिये विचार करो हम सभी को जो भी मिला है , अपने कर्मों के अनुसार ही मिला है, अच्छे या बुरे जो भी संयोग मिले हैं वो भी हमारी करनी का ही फल है , हमें उसी में खुश रहना चाहिए। वर्ना लालच का तो सातवें घड़े की तरह कभी अंत नहीं होगा !!

संतोषी सर्वत्र सुखी

 
Leave a comment

Posted by on ડિસેમ્બર 29, 2019 માં Sense stories / बोध कथाए

 

अविद्या


एक बार अकबर ने बीरबल से पूछा की बीरबल यह अविद्या क्या है ?

बीरबल ने बोला कि आप मुझे 4 दिनकी छुट्टी दे दो फिर मैं आपको बताऊंगा !

अकबर राजी हो गया और उसने चार दिनों की छुट्टी दे दी !

बीरबल मोची के पास गया और बोला कि भाई जूती बना दो, मोची ने नाप पूछी तो बीरबल ने बोला भैया ये नाप वाप कुछ नहीं। डेढ़ फुट लंबी और एक बित्ता चौड़ी बना दो,और इसमें हीरे जवाहरात जड देना । सोने और चांदी के तारों से सिलाई कर देना और हाँ पैसे वैसे चिंता मत करना जितना मांगोगे उतना मिलेगा।

तो मोची ने भी कहा ठीक है भैया तीसरे दिन ले लेना !

तीसरे दिन जूती मिली तब पारितोषिक देने के पहले बीरबल ने उस मोची से एक ठोस आश्वासन ले लिया कि वह किसी भी हालात में इस जूती का कभी भी जिक्र नहीं करेगा यानि हर हालात में अनजान बना रहेगा ।

अब बीरबल ने एक जूती अपने पास रख ली और दूसरी मस्जिद में फेंक दी । जब सुबह मौलवी जी नमाज पढ़ने (बाँग देने ) के लिए मस्जिद गए तो मौलवी को वो जूती वहाँ पर मिली।

मौलवी जी ने सोचा यह जूती किसी इंसान की तो हो ही नहीं सकती जरूर अल्लाह मियांनमाज पढ़ने आया होंगे और उसकी छूट गई होगी।

तो उसने वह जूती अपने सर पर रखी, मत्थे में लगाई और खूब जूती को चाटा । क्यों ? क्योंकि वह जूती अल्लाह की थी ना ।

वहां मौजूद सभी लोगों को दिखाया सब लोग बोलने लगे कि हां भाई यह जूती तो अल्लाह की रह गई उन्होंने भी उसको सर पर रखा और खूब चाटा।

यह बात अकबर तक गई। अकबर ने बोला : “मुझे भी दिखाओ ।” अकबर ने देखा और बोला यह तो अल्लाह की ही जूती है। उसने भी उसे खूब चाटा, सर पर रखा और बोला इसे मस्जिद में ही अच्छी तरह अच्छे स्थान पर रख दो !

बीरबल की छुट्टी समाप्त हुई, वह आया बादशाह को सलाम ठोका और उतरा हुआ मुंह लेकर खड़ा हो गया। अब अकबर ने बीरबल से पूछा कि “क्या हो गया मुँह क्यों 10 कोने का बना रखा है?”

तो बीरबल ने कहा : “राजासाहब हमारे यहां चोरी हो गई ।”

अकबर बोला – “क्या चोरी हो गया ?”

बीरबल ने उत्तर दिया : “हमारे परदादा की जूती थी चोर एक जूती उठा ले गया । एक बची है !”

अकबर ने पूछा कि “क्या एक जूती तुम्हारे पास ही है ?”

बीरबल ने कहा – “जी मेरे पास ही है ।” उसने वह जूती अकबर को दिखाई । अकबर का माथा ठनका और उसने मस्जिद से दूसरी जूती मंगाई और बोला “या अल्लाह मैंने तो सोचा कि यह जूती अल्लाह की है मैंने तो इसे चाट चाट के चिकनी बना डाली!!!”

बीरबल ने कहा राजा साहब यही है अविद्या। पता कुछ भी नहीं और भेड़ चाल में चले जा रहे है।

*******

 
Leave a comment

Posted by on ડિસેમ્બર 28, 2019 માં Sense stories / बोध कथाए

 

आज का भारत


जेएनयू के एक प्रोफेसर , एक टीवी चैनल के रिपोर्टर और भारतीय सेना के एक कर्नल का कश्मीर में आतंकवादियों ने अपहरण कर लिया ।

तीनों को मौत के घाट उतारने का हुक्म हुआ । बन्दियों को मारने से पहले उनकी अन्तिम इच्छा पूछी गई ।

जेएनयू प्रौफेसर : “मैं तो कश्मीर को भारत से आजादी का समर्थक हूँ । आप कृपया मुझे न मारें । दिल्ली वापिस जाकर मैं आपकी दयालुता पर लम्बा व्याख्यान दूँगा ।”

रिपोर्टर : “मुझे भी मत मारिये , जनाब । मैं भी भारत-सरकार को खूब कोसता हूँ । वापिस जाकर मैं आपकी विचारधारा पर अपने चैनल पर शानदार बहस कराऊँगा ।”

कर्नल : “मेरी हत्या करने से पहले मुझे पीटा जाय ।”

आतंकी सरगना (कर्नल से) : “तुम भी अपनी जान बख्शने के लिए गिड़गिड़ाओ । फिर हम अपना फैसला सुनायेंगे ।”

कर्नल : “नहीं । मैं चाहता हूँ कि मेरी हत्या से पहले मुझे पीटा जाय ।”

आतंकी सरगना के इशारे पर एक आतंकी ने भारतीय सेना के कर्नल पर अपनी एके-47 के बट से वार किया । कर्नल ने फुर्ती से एके-47 छुड़ा ली और दनादन सभी आतंकियों को ढेर कर दिया ।

प्रौफेसर और रिपोर्टर ने कर्नल से पूछा : “तुम्हारे अन्दर इतनी हिम्मत और हौसला था तो तुमने आतंकी से खुद को पिटवाया क्यों ? तुम ये फुर्ती और बहादुरी शुरू में भी दिखा सकते थे ।”

कर्नल – “मैं चाहता था कि लड़ाई की पहल वो करें । क्योंकि अगर मैं पहल करता तो तुम दोनों हरामजादे मुझे ही कटघरे में खड़ा कर देते और अपनी सरकार एवं जनता को सफाई देते-देते , मेरी उम्र गुजर जाती ।”

 
Leave a comment

Posted by on ડિસેમ્બર 27, 2019 માં CURRENT TOPIC

 

ટૅગ્સ: ,

गुफ़्तगू


उसने कहा- बेवजह ही
खुश हो क्यों?
मैंने कहा- हर वक्त
दुखी भी क्यों रहूँ?

उसने कहा- जीवन में
बहुत गम हैं।
मैंने कहा -गौर से देख,
खुशियां भी कहाँ कम हैं?

उसने तंज़ किया –
ज्यादा हँस मत,
नज़र लग जाएगी।
मेरा ठहाका बोला-
हंसमुख हूँ,
फिसल जाएगी।

उसने कहा- नहीं होता
क्या तनाव कभी?
मैंने जवाब दिया- ऐसा
तो कहा नहीं!

उसकी हैरानी बोली-
फिर भी यह हँसी?
मैंने कहा-डाल ली आदत
हर घड़ी मुसकुराने की!

उसने फिर तंज़ किया-अच्छा!!
बनावटी हँसी…इसीलिए
परेशानी दिखती नहीं।
मैंने कहा-
अटूट विश्वास है,
प्रभु मेरे साथ है,
फिर चिंता-परेशानी की
क्या औकात है?

कोई मुझसे “मैं दुखी हूँ”
सुनने को बेताब था,
इसलिए प्रश्नों का
सिलसिला भी
बेहिसाब था…

उसने पूछा – कभी तो
छलकते होंगे आँसू ?
मैंने कहा-अपनी
मुस्कुराहटों से बाँध
बना लेता हूँ।
अपनी हँसी कम पड़े तो
कुछ और लोगों को
हँसा देता हूँ।
कुछ बिखरी ज़िंदगियों में
उम्मीदें जगा देता हूँ।
यह मेरी मुस्कुराहटें
दुआऐं हैं उन सबकी
जिन्हें मैंने तब बाँटा,
जब मेरे पास भी
कमी थी।

 
Leave a comment

Posted by on ડિસેમ્બર 26, 2019 માં Poems / कविताए

 

ટૅગ્સ:

નંગ


એક પારસી સજ્જન નામે દિનશા પાસે ૪૦ મોટા હીરા હતા , તેમની પત્ની એ કહ્યું કે: “આમ લૂસ હીરા રાખશો તો પડી જશે અથવા ખોવાઈ જશે , એના કરતા મારા માટે નેકલેસ બનાવી આપો ને.”

દિનશાજી ના ગળે વાત ઉતરી ગઈ અને તેઓ હીરા લઈને ઝવેરી ને ત્યાં ગયા, અને કહ્યું કે : “આ ૪૦ હીરાનો નેકલેસ બનાવી આપો.

હીરા ની ચમક જોઈને ઝવેરી નું મન લલચાયું અને ૪૦ હીરા ગણવાના બહાને એક હીરો સરકાવી લીધો અને દિનશાજી ને કહ્યું : “બાવાજી આ તો ૩૯ હીરા જ છે, ગણી લ્યો.”

દિનશાજીએ હીરા લીધા અને ગણ્યા તો ૩૯ હતા; દિનશાજી ને તરતજ ખ્યાલ આવી ગયો કે ઝવેરી લુચ્ચાઈ કરી ગયો છે; દિનશાજીએ શાંતિ થી ૩૯ હીરા માં થી એક હીરો સરકાવી લીધો અને બાકી ના હીરા ઝવેરી ને પરત આપીને કહ્યું : “સોરી, આ ૩૯ હીરા જ છે એનો હાર બનાવી રાખજો.” એમ કહીને દિનશાજી નીકળી ગયા.

ઝવેરી મનોમન ખુબ ખુશ થયો અને અંદર જઈને હીરા ગણ્યા તો ૩૮ હીરા જ નીકળ્યા, એને બહુ શોધખોળ કરી પણ હીરો જડ્યો નહિ; આખરે ઝવેરીએ એ ચોરેલો હીરો પાછો પેકેટ માં મૂકી દીધો અને ૩૯ હીરાનો હાર બનાવીને દિનશાજી ને આપવો પડ્યો.

દિનશાજી મલકાઈ ને હાર લઇ ગયા અને એની પત્ની ને કહ્યું : “લે ડાર્લિંગ આ ૩૯ હીરાનો હાર અને એક હીરાની વીંટી તારા માટે !!!”

NOTE : આ ટૂંકી વાર્તા મેં વર્ષો અગાઉ સાંભળી હતી તે યાદ આવી એટલે અહિંયા share કરી છે !!!

 
1 ટીકા

Posted by on ડિસેમ્બર 25, 2019 માં SHORT STORIES / लघु-कथाए

 

ટૅગ્સ: ,

ખાલીપો


શહેરના ઘોંઘાટથી જોજનો દૂર સાવ સાદુ ગામડું ગામ અને તેમાં બે ત્રણ પાકા મકાનમાં એક મકાન શંભુદાનું…

આજેય ઘણાના ઘરો પર જુના નળીયા અને ભીંતોની તિરાડોમાંથી તેમની ગરીબી ડોકાઇને બહાર આવતી હતી.

દિવાળીની રજાઓ આ વખતે વહેલી પુરી થઇ હતી. દેવદિવાળી સુધી ઘર હર્યુભર્યુ રહેતું પણ આ વેકેશનમાં શંભુદા અને શકરીબા દેવદિવાળીએ તો સાવ એકલા થઇ ગયેલા.

તેમને મન તો આ પંદર દિવસ તો આંખના પલકારામાં જ વીતી ગયા. બધાએ સાથે બેસીને કરેલી રંગોળી પણ હવે ઘરના ઓટલેથી ભૂંસાઇ ગઇ હતી. છોકરાઓએ મોજથી ફોડેલા ફટાકડાઓના નિશાન પણ જતા રહ્યા હતા અને ઘરમાં બનેલી મીઠાઇઓ, ફરસીપુરી, ઘૂઘરા પણ હવે પતી ગયા હતા.

મોટી પરસાળમાં હિંચકા પર ફરી શમી સાંજે એ ઘડપણ ગોઠવાઇને મીઠી મધુરી યાદો વાગોળી રહ્યું હતું.

‘કેવુ સારુ કે બધા સાથે હતા… એમ થતું કે કોઇને જવા જ ન દઇએ…’ હૃદયના અવાજ અને ભીની આંખે હિંચકા પર બેસેલ શકરીબાએ ધીરેથી કહ્યું.

‘એમ થોડું હોતું હશે, આ તો પંખીના માળા જેવું ઘર… સમય આવ્યે સૌ આવે અને સમય આવ્યે સૌ કોઇ ઉડી જાય.’ બાજુમાં બેસેલા શંભુદાએ ઘેરા અને પરિપક્વ અવાજે મમત્વને સંકોરી દુનિયાદારીની વાત કહી.

‘ટીન્યો ફટાકડા મુકીને ગયો છે અને કહ્યું છે કે દેવદિવાળીએ મારા વતી તમે ફોડી દેજો.. ઇ ફટાકડા જોવું છું ને તેની યાદ આવી જાય છે.’ શકરીબાએ હિંચકાની નીચે પગેથી ઠેલો માર્યો.

‘વ્યાજ કોને વ્હાલું ન હોય..? ઇ તો હાલ્યા કરે.. આપણે છેટાં રહીએ ઇનો’ય પ્રેમ મીઠો લાગે, આપણી બાજુમાં જ જોડે રહેતા ભીખા અને તેના બાપાની દિવાળીના દાડે જ હાલત કેવી ભૂંડી હતી.. છોકરા અને બાપા વચ્ચે મારામારી સુધી વાત પહોંચી ગઇ હતી…’ શંભુદાએ બાજુના ઘરની દિવાલની તિરાડ તરફ જોઇને કીધું.

‘અને ઇની વહુ’યે તેની સાસુ ગંગાને કેવું ભાંડતી’તી… મને તો એમ થાય કે આવી રીતે ભેગા રહેવું ઇના કરતા તો છેટા રહેવું સારું. આ દિવાળીએ વહુ મારી હાટુ સાડી અને પેલું પિચરોમાં પહેરે તેવું ગાઉન પણ લાવેલી… અને સોનાની વીંટી પણ…! પણ એકલા ઇ એકલા તો ખરા જ…! ઘર ખાલી ખાલી જ લાગે…!’’ શકરીબા તો વીંટી સામે તાકીને બોલી ઉઠ્યાં.

‘જો પાછી ફરી તું એ જ વાત પર આવી…. સમય સમયનું કામ કરશે, આપણે તો રાખના રમકડાં… કાયમ રમતાં રહેવાનું…’ શંભુદાના અવાજમાં ગંભીરતા હતી.

અને ત્યાં જ બાજુના ખોરડામાંથી જોરજોરથી તે ઘરની વહુનો અવાજ સંભળાયો, ‘જો બાપાને કહી દો કે ખેતર કે ખોરડું વેચી કાઢે… આપણે શહેરમાં જવું છે… ઇ તો ઘરડાં થયા અને ઇમને જોતરીને મારે મારો ભવ નથી બગાડવો.’

ત્યાં ડોસીનો અવાજ, ‘ હા તારે તો અમારું બધું વેચી કાઢવું છે… તારા બાપના ઘરેથી લઇને આવી હોત તો અમારે આ દન જોવાનો વારો ન આવેત…!’

‘જો મારા બાપનું નામ વચ્ચે લાવ્યાં છો તો મારા જેવી ભૂંડી કોઇ નથ….!’

અને ત્યાં વચ્ચે એક પહાડી અવાજ, ‘ એ ભીખાલાની માં તું ઇની જોડે કેમ માથાકૂટ કરેશ.. ભીખાલાને જ પૂછને ઇને જવું હોય તો હાલ્યો જાય… આમને આમ ક્યાં સુધી આપણે આપણી બધી દિવાળીઓ બગાડીશું….’

અને છેટે ઉભેલો ભીખાલો પણ આજે બોલ્યો, ‘બાપા જવુ તો છે.. છોકરાને સારી નિહાળે મુકવા પડશે.. અહીં ભણતર કે વળતર કાંઇ દેખાતું નથી… જવું તો છે પણ મૂડી તો જોઇશે’ને… આ બાજુવાળાં શંભુકાકાનો એકનો એક માધિયો વહેલા ગામ છોડીને નીકળી ગયો તો જોયું કેવા સુખી થયા.’

‘પણ ત્યાં જઇને તું કરીશ હું..? અહીં હોય તો ખેતી થાય…’ ફરી પેલો ઘેરો અવાજ તેને સમજાવી રહ્યો હતો.

જો કે તે ઘરની દિવાલોની તિરાડોમાંથી આ રીતની વાતો અગાઉ ઘણીવાર બહાર નીકળી ચુકી હતી.

‘ઇ તો અમે અમારુ કુટી લેશું.. તમતમારે હંભાળજોને ખેતી અને બળદો…’ વહુએ તો ભીખાલાવતી જવાબ દઇ દીધેલો.

‘સારુ જે તમને કોઠે લાગે ઇમ… આ દિવાળી ગઇ, હવે તમે છુટ્ટા… જોઇએ તો ખેતરના કાગળ લઇ જજે… હવે અમારે મન તો તમે ખુશ રહો..’ પેલા ઘરડા અવાજે આખરે નમતું જોખીને રજા આપી.

‘ના… ના… ઇમ કાગળો નો અલાય પેલા માધુભઇના છોકરાએ સંધુયે વેચીને ઇમનું જ કરી નાખેલું અને ડોસા ડોસીને ઘરબાર વિનાના કરી નાખેલા…!’ ત્યાં ડોસીનો અવાજ આવ્યો.

‘અમે ઇના નપાવટ દિકરા જેવા નથી.’ ભીખાલાનો નળીયામાંથી બુલંદ અવાજ આવ્યો અને જાણે ઘરમાં હવે એક નવો નિર્ણય લેવાશે તેવી ચૂપકીદી છવાઇ ગઇ.

‘સારુ જાવ ઇ નો વાંધો નહી પણ વાર તહેવારે આવતા રે’જો… આ બાજુના શંભુદાના છોકરાઓ દર દિવાળીએ આવેને ગામમાં રોનક આવી ગઇ હોય એવું લાગે એવું કરજો.’ પેલો ઘરડો અવાજ હવે નરમ બન્યો હતો.

‘તો આજે કંસાર મુકુ બાપા…’ વહુએ પહેલીવાર હરખાઇને કહ્યું.

‘વહુબેટા… અમારે તો ભેળાં થાય ઇનો કંસાર હોય… નોખા પડે ઇના આંધણ શેનાં..? પણ તે આજે મને ઘણા વરહે બાપા કીધું શે તો મુક અને રાજીપો કરો…’

પછીતના પછવાડે સાંભળતા શંભુદા અનુભવી રહ્યા હતા કે આ રીતે પીરસાતો કંસાર અને પસાર થતો સંસાર ઘરડાં માટે કેવો કડવો હોય છે…?

‘હેં, સાંભળીને આ બાજુના ઘરની કંકાશ… આમનું તો આ રોજનું હતું પણ હવે સારુ કર્યુ… છોકરાઓ ક્યાં સુધી બંધાયેલા રહે…?’ શકરીબાએ ફરી હિંચકો નાંખતા કહ્યું.

‘હા… આ તો જેવુ જેનુ નસીબ..’ અને શંભુદા ઉભા થઇને દિવો પેટવવા લાગ્યા.

દેવદિવાળીની સાંજ ઢળી ચુકી હતી. દિકરાના દિકરાએ રાખેલા કેટલાક ફટાકડા ભેગા કરી તે દિવા સુધી લઇ આવ્યાં.

‘લે તું’યે એક ફૂલઝડી કર અને યાદ કર આપણાં દિકરાને અને આપણાં વ્યાજને…!’ શંભુદાએ પોતાનો અંદરનો ખાલીપો ભરવા આખરે ફૂલઝડી પેટાવી.

શકરીએ ફૂલઝડી હાથમાં લીધી તો ખરી પણ આંખમાં ઝળઝળીયા આવી ગયા, ‘ આ ટીનીયા વિનાની ફૂલઝડી તો સાવ રંગ વગરની અને તેજ વગરની લાગે છે.. ઇ ને બોલાવી લો ને કે મારો હાથ પકડે…’

‘અલી ગાંડી… તું આમ ઢીલી ન થા… ઇ આવશે હવે આવતી દિવાળીએ…!’

‘પણ ત્યારે તો કેટલો મોટો થઇ ગયો હશે… તેની કાલી કાલી બોલી બંધ થઇ ગઇ હશે… નાની નાની આંગળીઓ પણ મોટી થઇ ગઇ હશે… પછી તો ઇ મને ઇની આંગળી યે નહી ઝાલવા દે… મારા હાથથી એકે’ય કોળીયો પણ નહી ભરે…!!’ અને શકરીબા ચોધાર આંસુ સાથે રડી પડ્યાં.

‘આમ ઢીલી ન પડ… આ તો જીવનના ‘ખાલીપા’નો સમય છે… હર્યુભર્યુ રહ્યુ ત્યાં સુધી રાખ્યું પણ જ્યારે વાત આપણાં કાબૂ બહાર ગઇ એટલે આપણે તો જોયા જ કરવાનું હતું…. બાજુના ખોરડાંની વાતો તો તિરાડોમાંથી વહી જતી હતી પણ આપણું ખોરડું તો અંદરોઅંદર મુંગુ મુંગુ ગાજ્યુ હતું… આપણું મકાન સહેજ પાકુ કે અને તેની એકે’ય તિરાડ નહોતી કે આપણાં ડુસકાનો અવાજ બહાર જાય…’ શંભુદા આજે વર્ષો પછી ઢીલા પડ્યાં.

‘આ વખતે શું વેચ્યું…?’ શકરીબાના હાથની ફૂલઝડીના તીખારા કરતા તેના શબ્દોના તીખારા વધુ દઝાડે તેવા હતા.

‘તને ક્યાંથી ખબર..?’ સાવ શમી સાંજે બન્ને ઘરડી આંખો એકમેકમાં પરોવાઇ ગઇ.

‘કૂખને માં તો ઓળખે… અને તમને’ય ઓળખું હોં…!’

‘દાગીના આપી દીધા… તેમને ધંધા માટે ગીરવે મુકવા હતા…. તારુ જે તારી પાસે છે તેટલું જ બાકી રાખ્યું છે….!’ શંભુદાનો અવાજ ડૂમો બાઝતા અટકી ગયો.

‘આ એક વીંટીના બદલામાં કેટલું લઇ ગ્યા નઇ…?’ શકરીબાએ તો તેમની ઝગમગતી વીંટીવાળા હાથે ફૂલઝડી ગોળ ગોળ ફેરવી.

‘હા… ઇ ગ્યા તા ત્યારનું અહીંથી બધુ લઇ જ જાય છે’ને અને આ તો ગામમાં મોભો અને પાકુ ઘર એટલે દર દિવાળીએ ઇમને કહેવું પડે છે કે તમે આવજો એટલે ગામમાં લાગે કે અમારા ઘરે’ય દિવાળી થઇ છે. બાકી તો આપણું ભેગું કરેલું વેચવામાં કંઇ બાકી નથી રાખ્યું.. દર દિવાળીએ ઘર અને જિંદગી ખાલી થતી જાય છે… બસ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આમ જ આપણો ‘ખાલીપો’ વેચીને પણ દિવાળી કરતા રહીશું…’ અને શંભુદાએ પોતાના દુ:ખના આવરણોને તોડવા મોટો બોમ્બ ફોડ્યો.

અને બાજુના ઘરમાંથી એક થાળી નીચે પડવાનો અવાજ આવ્યો અને ત્યાં જ તેમનો ટાબરીયો બોલ્યો, ‘ દાદા, હું શહેર જઇશ અને મોટો બોમ્બ લાવીશ અને તમારી સાથે ફોડીશ કે બાજુના ઘરના બધા વાસણ પડી જાય…!’

અને તે તિરાડવાળી દિવાલની બન્ને બાજુએ જીવનના ખાલીપાના કંસારના આંધણની મીઠી સુવાસ પથરાવા લાગી.

*******

સ્ટેટસ :

ઘરની ભીંત કે દિલની તિરાડોમાંથી જ્યારે દુ:ખ છલકે છે…
ત્યારે મધુરાને હર્યાભર્યા સબંધો ખાલીપા તરફ રુખ બદલે છે…

*******

લેખક : ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ,

મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

 
1 ટીકા

Posted by on ડિસેમ્બર 24, 2019 માં Dr. Vishnu M. Prajapati

 

ટૅગ્સ: ,

નમ્રતા નો ચમત્કાર


એક મૅડમ સાડીઓના મોટા શોરૂમમાંથી એક મોંઘી સાડી લાવ્યાં, પરંતુ પહેલી જ વખત ધોયા પછી એ સાડી બગડી ગઈ. વેપારીએ આપેલી ગૅરન્ટી ખોટી પડી.

એ મેડમે પોતાના ડ્રાઈવર સાથે શોરૂમના માલિકને એક પત્ર મોકલ્યો : ‘તમારી દુકાનેથી મેં સાડી ખરીદી હતી. આ સાથે તેનું બિલ પરત મોકલું છું. તમારા શોરૂમના સેલ્સમૅને ગેરન્ટી આપી હતી છતાં સાડી બગડી ગઈ છે, પરંતુ બિલ મારી પાસે હોય ત્યાં સુધી મને છેતરાઈ ગયાની ફીલિંગ ડંખ્યા કરે અને બીજું કોઈ જુએ તો તમારા શોરૂમની પ્રતિષ્ઠાને કલંક લાગે. એક સાડી બગડવાથી મને તો બે-ત્રણ હજારનું જ નુકસાન થયું છે, પણ એટલા જ કારણે તમારા શોરૂમની પ્રતિષ્ઠા ઝંખવાય તો તમને મોટું નુકસાન થાય. મને હજીયે તમારા સેલ્સમૅન પર ભરોસો છે. કદાચ તેણે ભૂલથી મને વધુ પડતી ગૅરન્ટી આપી હોય. તમે પ્રામાણિક વેપારી તરીકે વધુ કામિયાબ થાઓ એવી શુભેચ્છાઓ.’

શોરૂમનો માલિક એ પત્ર વાંચીને ગદ્ગદ થઈ ગયો. તેણે એ જ રાત્રે પોતાના સેલ્સમૅન દ્વારા વધુ કીમતી એક નવી સાડી મોકલી આપી, સાથે દિલગીરીના થોડાક શબ્દો પણ.

ગુસ્સો કદી ચમત્કાર ન કરી શકે, નમ્રતા જ ચમત્કાર કરી શકે. કોઈ નફ્ફટ માણસની સામે નફ્ફટ થવાનું સરળ છે ખરું, પણ નફ્ફટ માણસની સામે પણ સજ્જન બની રહેવાનું અશક્ય તો નથી જ ને ! ગુસ્સે થઈને આપણે આપણી એનર્જી વેસ્ટ કરી છીએ, આપણું બ્લડપ્રેશર વધારી છીએ અને એટલું કર્યા પછીયે પૉઝિટિવ રિઝલ્ટની ગૅરન્ટી તો નથી જ મળતી.

(‘યુ-ટર્ન’ પુસ્તકમાંથી સાભાર)

 
Leave a comment

Posted by on ડિસેમ્બર 23, 2019 માં Sense stories / बोध कथाए

 

ટૅગ્સ: ,

બાપના આશીર્વાદ


ખંભાતના વાણિયાની આ વાત છે.

એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમાલ નથી. મિલકતમાં હું તને મારા આશીર્વાદ દેતો જાઉં છું કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જજો ! ’

દીકરાએ માથું નમાવી બાપના આશીર્વાદ ઝીલ્યા.બાપે સંતોષથી પ્રાણ છોડ્યા.

હવે ઘરનો ભાર ધનપાળના માથે આવ્યો. તેણે એક નાનકડી હાટડી શરૂ કરી. ધીરે ધીરે તેની કમાણી વધતી ચાલી. તેણે ધંધાનો વિસ્તાર કરવા માંડ્યો. ધંધાના વિસ્તાર સાથે કમાણી પણ વિસ્તરી. ગામના શ્રીમંતોમાં એની ગણતરી થવા લાગી.

એને ખાતરી હતી કે મારા પિતાના આશીર્વાદનું જ આ ફળ છે. પિતાએ આખી જિંદગી દુ:ખ વેઠ્યું, પણ ધીરજ ન ખોઈ, શ્રદ્ધા ન ખોઈ, પ્રમાણિકતા ન ખોઈ, તેથી એમની વાણીમાં બળ આવ્યું, તેમના આશીર્વાદ ફળ્યા, અને હું સુખી થયો.

તેના મોઢે આવી વાત સાંભળી એક જણે કહ્યું: ‘તમારા પિતામાં આવી તાકાત હતી, તો એ પોતે કેમ કશું કમાયા નહિ ?’

ધર્મપાળે કહ્યું: ‘હું પિતાની તાકાતની વાત નથી કરતો, પિતાના આશીર્વાદની તાકાતની વાત કરું છું.’

આમ જ્યારે ત્યારે એ બાપના આશીર્વાદના ગુણ ગાતો, તેથી લોકો મશ્કરીમાં તેને ‘બાપનો આશીર્વાદ’ કહી બોલાવતા. ધનપાળને એથી ખોટું લાગતું નહિ, એ કહેતો કે બાપના આશીર્વાદને લાયક નીવડું એટલે બસ.

આમ વર્ષો વીત્યાં. ધનપાળનો વેપાર ખૂબ વધ્યો. એનાં વહાણો દેશદેશાવર ફરતાં અને માલની લેવેચ કરતાં. એની કમાણીનો પાર ન હતો.

એકવાર એને થયું કે આમ વેપાર રોજગારમાં નફો જ નફો થયા કરે એ સારું નહિ, કોઈ વાર નુકસાનનો પણ અનુભવ કરવો જોઈએ. એણે એક મિત્રને કહ્યું: ‘દોસ્ત, કંઈ નુકસાનનો ધંધો બતાવ !’

મિત્રને થયું કે આને ધનનો મદ ચડ્યો છે; એ એવું સમજે છે કે થઈ થઈને મને શું નુકસાન થવાનું છે? કાનખજૂરાનો એક પગ ભાંગ્યો તોય શું? તો હવે એને એવો ધંધો દેખાડું કે ઊંધે માથે ખાડામાં પડે.

તેણે કહ્યું: ‘તો એમ કર ! વહાણમાં લવિંગ ભરી ઝાંઝીબાર વેચવા જા ! અવશ્ય એ ધંધામાં તને ખોટ જશે.’

ધર્મપાળને આ વાત બરાબર લાગી. ઝાંઝીબાર તો લવિંગનો દેશ, ત્યાંથી લવિંગ ભારતમાં આવે ને દશબાર ગણા ભાવે વેચાય. એ લવિંગ ભારતમાંથી ખરીદી ઝાંઝીબાર વેચવા જવું એટલે સીધી જ પાયમાલી.

ધર્મપાળે નક્કી કર્યું કે નુકસાનનો આ અનુભવ પણ લેવો. એટલે ભારતમાંથી મોંઘા ભાવે લવિંગ ખરીદી વહાણ લઈ તે ઝાંઝીબાર ગયો.

ઝાંઝીબારમાં સુલતાનનું રાજ્ય હતું. ધર્મપાળ વહાણમાંથી ઊતરી રેતીના લાંબા પટમાં થઈને બીજા વેપારીઓને મળવા જતો હતો. ત્યાં સામેથી આવતા સુલતાન એને મળ્યા. ખંભાત બંદરથી આવેલા વેપારીને જોઈ સુલતાને તેમનો આદર કર્યો.

ધર્મપાળે જોયું તો સુલતાનની સાથે સેંકડોની સંખ્યામાં સિપાઈઓ હતા. એ સિપાઈઓના હાથમાં ભાલા, તલવાર કે બંદૂક નહિ, ચાળણીઓ હતી ! એ જોઈ ધર્મપાળને નવાઈ લાગી. તેણે સુલતાનને વિનયપૂર્વક આનું કારણ પૂછ્યું.

સુલતાને હસીને કહ્યું: ‘વાત એમ છે કે આજે સવારે હું આ સમુદ્ર તટ પર ફરવા આવેલો. ફરતાં ફરતાં મારી આંગળીએથી એક વીંટી ક્યાંક નીકળી પડી. રેતીમાં વીંટી ક્યાં ગરી ગઈ એની ખબર પડી નહિ. રેતી ચાળી એ વીંટી શોધવા હું આ સિપાઈઓને અહીં લઈ આવ્યો છું.’

ધર્મપાળે કહ્યું: ‘વીંટી બહુ કીમતી હશે.’

સુલતાને કહ્યું: ‘ના, એનાથી ઘણી વધારે કીમતી વીંટીઓ મારી પાસે છે. પણ આતો એક ફકીરના આશીર્વાદની વીંટી છે. હું માનું છું કે મારી સલ્તનતનો પાયો એ આશીર્વાદ છે. એટલે મારે મન એ વીંટીનું મૂલ્ય સલ્તનત કરતાંયે વધારે છે.’

આટલું કહી સુલતાને કહ્યું: ‘ બોલો, શેઠ, આ વખતે શું માલ લઈને આવ્યા છો ?’

ધર્મપાલે કહ્યું: ‘લવિંગ.’

‘લવિંગ ?’ સુલતાનની નવાઈનો પાર ન રહ્યો. ‘આ લવિંગના દેશમાં તમે લવિંગ વેચવા આવ્યા છો? કોણે તમને આવી મતિ આપી ? નક્કી એ કોઈ તમારો દુશ્મન હશે. અહીં તો એક પૈસામાં મૂઠો ભરીને લવિંગ મળે છે. અહીં તમારા લવિંગનું શું ઉપજશે?’

ધર્મપાળે કહ્યું: ‘મારે એ જ જોવું છે. લાખોની ખોટ ખાવા માટે જ હું અહીં આવ્યો છું. આજ લગી જે ધંધો મેં કર્યો તેમાં મને હંમેશાં નફો જ થયો છે; મારા બાપના આશીર્વાદનું એ ફળ છે. એ આશીર્વાદ આજે અહીં કેવી રીતે કામ કરે છે તે મારે જોવું છે.’

સુલતાને કહ્યું: ‘બાપના આશીર્વાદ ? એ વળી શું?’

ધર્મપાળે કહ્યું: ‘મારા બાપ ગરીબ હતા. આખી જિંદગી તેમણે પ્રમાણિક્પણે કામ કર્યું હતું. પણ કદી બે પાંદડે થયા નહોતા. મરતી વખતે તેમણે ભગવાનનું નામ લઈ મારા માથા પર હાથ મૂકી મને આશીર્વાદ આપ્યા હતા કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જશે ! ’

બોલતાં બોલતાં જુસ્સામાં આવી તેણે નીચા નમી મૂઠો ભરી સમુદ્રતટની રેતી લીધી ને ચાળણીની પેઠે આંગળાંમાંથી રેતી નીચે ઝરવા દીધી, તો–

એની નવાઈનો પાર ન રહ્યો.

એના હાથમાં હીરાજડિત સોનાની વીંટી હતી !

એ જ પેલી સુલતાનની ખોવાયેલી વીંટી !

વીંટી જોઈ સુલતાન ખુશ ખુશ થઈ ગયો. તે બોલી ઊઠ્યો: ‘વાહ ખુદા, તારી કરામતનો પાર નથી ! તું બાપના આશીર્વાદને સાચા પાડે છે !’

ધર્મપાળે કહ્યું: ‘ફકીર ના આશીર્વાદને પણ એ જ સાચા પાડે છે !’

સુલતાન હેતથી ધર્મપાળને ભેટી પડ્યો. કહે: ‘માગ, માગ, માગે તે આપું.’

ધર્મપાળે કહ્યું: ‘આપ સો વર્ષના થાઓ અને રૈયતનું રૂડી રીતે પાલન કરો—એ સિવાય મારે બીજું કંઈ ન જોઈએ.’

સુલતાન અધિક ખુશ થયો. તેણે કહ્યું: તમારો બધો માલ હું મુદ્દલ કરતાં બમણી કિંમતે રાખી લઉં છું.’

બોધ : જો નીતિ સાચી અને માતા પિતા ના આશીર્વાદ હોય તો દુનિયા માં કોઈ ની તાકાત નથી તમને ક્યાંય પાછળ પાડે……

-લોકકથા

 
Leave a comment

Posted by on ડિસેમ્બર 22, 2019 માં Sense stories / बोध कथाए

 

ટૅગ્સ: ,

મમ્મી પપ્પા ના પ્રેમની પરીક્ષા


રોહન સ્ટોરરૂમમાં પડેલા ફ્રિજ અને અનાજની પેટીની વચ્ચે જગ્યા કરી એમા છુપાઇ ગયો હતો. બારીકાઇથી બધુ નિરીક્ષણ કરતો હતો. લગભગ સવારના અગિયાર વાગ્યા હતા. સ્ટોરરુમમાંથી રસોડાની તમામ હરકત સ્પષ્ટ દેખાતી હતી. હજુ તો બધુ નોર્મલ ચાલતુ હતુ. મમ્મી રસોડામાં સાફ સફાઇ કરીને બપોરની રસોઇની તૈયારી કરવા લાગી હતી. રોહન બધુ નિહાળી રહ્યો હતો. મમ્મી ફ્રિજમાંથી શાકભાજીની બાસ્કેટ કાઢિ અને તેમાથી કારેલા લીધા પણ રોહનને નહિ ભાવે એમ કહિ ને મુકિ દિધા. પાછુ બીજુ શાક લીધુ અને પાછી બોલી આ શાક રોહનને સૌથી વધુ ભાવે છે. ચાલ એ જ બનાવુ.

રોહન આ બધુ નિહાળતો હતો.

હવે સ્ટોર રૂમમાં પુરાઇ રહેવા પાછળનુ કારણ પણ જણાવી દઉ. રિઝલ્ટ આવ્યુ. જેમા માત્ર રોહનના નાપાસ થયો હતો. ધોરણ ૧૦ નુ રિઝલ્ટ આવ્યુ હતુ. પણ હવે ઘરે કેમ જવુ એ મુંજવણમાં એટલો બધો ડિપ્રેશ્ડ થઇ ગયો કે હવે ઘરે જ નથી જવુ, ભાગી જવુ કે આત્મહત્યા સુધીનો વિચાર કરવા લાગ્યો હતો. ફેસબુક આમ તો વધુ પડતુ નેગેટીવ છે પણ આજે એના માટે પોઝીટીવ હતુ. મારી પ્રેરક પોસ્ટ કાયમ વાંચતો હતો. એમના પપ્પા મારા ક્લાસમેટ હતા. ઘણીવાર મારો સંપર્ક થતો હતો. આજે સામેથી જ મને સંપર્ક કર્યો. મને કહે મારે તમને મળવુ છે. એક અરજ્ન્ટ કામ છે. તમે ક્યારે મળી શકો.

મે તરત જ ઓફિસનુ એડ્રેસ આપ્યુ અને ઓફિસે બોલાવ્યો. એની બેગમાંથી રિઝલ્ટ કાઢી મને દેખાડ્યુ. મે હસતા હસતા કહ્યુ પાસ થાય એ બધાને નોકરી મળે પણ નાપાસ થાય એ તો બોસ બને અથવા મોટા રાજનેતા પણ બની શકે.

મને કહે શુ અંકલ મજાક કરો છો. તમને ખબર છે મારી ઘરે સર્વિસ થઈ જશે.

એ મને કહેવા લાગ્યો કે આજે તો મમ્મીને તો આ રિઝલ્ટ તો દેખાડી દઇશ પણ પપ્પા સામે આંખથી આંખ નહિ મેળવી શકુ. કેમકે એ જ્યારે મને વાંચવાનુ કહેતા હતા ત્યારે હુ એમ કહેતો હતો કે, તમે અત્યારે નહિ કહો મને મારા કામની ખબર પડે છે. જ્યારે રિઝલ્ટ આવે ત્યારે જોઇ લેજો અને રિઝલ્ટ આ આવ્યુ. હુ હવે ઘરે જવા નથી ઇરછતો.
મે કહ્યુ તો શુ વિચાર કરે છે?

મને કહે ઘણુ વિચારુ છુ આત્મહત્યા કરવા કે ઘર છોડવા કે ક્યાક ભાગી જવા વિચારુ છુ. મે હસતા હસતા કહ્યુ છે હિમ્મત તારામાં મરવાની? એમ કહિ મારા ડ્રોવરમાંથી બ્લેડ આપી અને કહ્યુ માર તારા હાથ પર ચાલ? હુ પણ જોઇ લઉ તારામાં કેટલી હિમ્મત છે? તેણે બ્લેડ લીધી પણ હાથ પર મારવા માટે હાથ આગળ જ ન વધ્યો. હાથ ધ્રુજવા લાગ્યા. મે કહ્યુ મારા તારે આમ પણ મરવુ જ છે. તો આ શરીરની શુ ચિંતા કરે છે? આત્મહત્યા કરવા જેટલી હિમ્મતના દસ ટકા હિમ્મતથી સંઘર્ષ કરીએ તો જે ધારીએ એ કરી શકીએ.

એ તો બરાબરનો મુંજાઇ ગયો. એને એવુ લાગતુ હશે કે અહિ ન આવ્યો હોત તો સારુ હતુ. પણ મારે એને એવુ લાગવા દેવાનુ ન હતુ એટલે મે જ્યુસ મંગાવ્યુ હતુ. એ જ્યુસ આવતા એને જ્યુસ પિવરાવ્યુ. પછી થોડો ફેશ લાગતો હતો. મે કહ્યુ તને એવુ લાગે છે કે તારા રિઝલ્ટથી તારા મમ્મી પપ્પાને તારી પ્રત્યે ના પ્રેમમાં ઓછપ આવે એમ? એક જરાક પણ નહિ આવે.

રોહન કહે પણ સર મને એવુ લાગે કે, હુ મારા મમ્મી પપ્પાને હવે શુ મોં દેખાડુ? અત્યાર સુધી મે એક પણ વાત માની જ નથી. દરેક વાતનો મે સામે જવાબ આપ્યો. એ લોકો મારા રિઝલ્ટની રાહમાં જ છે. મને ઘણુ બધુ સંભળાવશે. એટલે મારી તેમની સામે જવાની હિમત જ નથી.

મે કહ્યુ તો થોડુ સહન કરવાનુ અને થોડુ સાંભળી લેવાનુ પણ એમની વાતમાંથી થોડી વાત જીંદગીમાં ઉતારવી પણ જરુરી છે.

હુ જે ફિલોસોફી એને કહેતો હતો એમાં એ હા હા કરતો હતો પણ એના મગજમાં આ વાત ઉતરતી ન હતી એવુ લાગતુ હતુ એટલે જો હુ તેને જવા દઉ અને એ કઇક કરી બેસે તો ખોટુ થાય એટલે એ ઉપાય વિચાર્યો. મે કહ્યુ તુ એક કામ કર તુ ઘરે જા. તને એમ લાગે છે કે તારા મમ્મી પપ્પા માત્ર તારા રિઝલ્ટ ને ચાહે છે. તો તુ તારા ઘરમાં સંતાઇ જા અને મારુ ખરાબ રિઝલ્ટ આવ્યુ એટલે હુ ઘર છોડીને જાઉ છુ. એવો એક પત્ર તારા રૂમમાં મુકિ દે.પછી માત્ર તારી ગેરહાજરીમાં તારા મમ્મીના હાવભાવ જોજે. તારી પ્રત્યે કેવી લાગણી છે એ ખ્યાલ આવી જશે. સાંજ સુધી તારે આ બધુ જોવાનુ. તારા મમ્મી પપ્પાનુ તારી પ્રત્યેની લાગણી જોઇ લેવાની. જો સાંજના ૭ વાગ્યા પહેલા તુ બહાર નીકળી જા તો તારે હુ કહુ એમ કરવાનુ નહિ તો તુ તારી રીતે સ્વતંત્ર છો. એણે મારી હા માં હા પાડી. એ ત્યાથી ચાલતો થયો.

મે મનમાં કિધુ બેટા તારામાં સાંજ સુધી રહેવાની તેવડ નથી. માં બાપના પ્રેમની પરીક્ષા કરનાર આજ સુધી પેદા નથી થયો. ખુદ જગતનો નાથ આવ્યો તો એનેય પુંડરીકે એક પથ્થરના ટુકડા ઉપર ઉભો રાખી દિધો. આજ પણ પંઢરપુરમાં એ જ પથ્થર પર ઉભો છે.

રોહન તો ત્યા સંતાઇને બધુ જોતો હતો.

મમ્મી મને શુ ભાવે ન ભાવે એનો ખ્યાલ રાખે છે પણ એ તો રાખવો જ પડે એમ વિચારે છે. પછી રસોઇ બનાવવાનુ શરુ છે. ઉનાળાની ધોમધખતી ગરમીમાં મમ્મી ગેસના બધા સ્ટવ ચાલુ કરી એક પર શાક, એક પર ડાળ, એક પર રોટલી ચાલુ કરે છે. ત્રણ ત્રણ સ્ટવ પરથી અગ્ની જ્વાળ ઓકતો હોય અને બહાર સુર્યનારાયણ પણ સ્ટવ સામે ગૃહીણીને પરેશાન કરવાની હરીફાઇ લગાવી હોય એવી ગરમીમાં પંખા વગર રસોઇ કરતી જાય અને ગરમી સહન કરતી જાય. જ્યારે ગરમી સહન ન થાય ત્યારે થોડી થોડી વાર બહાર ખુલ્લામાં આવે. પાછી આવી રસોઇ બનાવે.
રોહનને થયુ મમ્મી કેટલી ગરમીમાં રસોઇ બનાવે છે. હા બનાવી જ પડે ને કેમ કે પપ્પાનુ ટીફિન કરવાનુ અને દાદા દાદીને સમય થયે જમાડવાના. મારા માટે રસોઇ બનાવવાની.

રસોઇ બનાવીને દાદા દાદીને જમવા બેસાડે છે અને પોતે કહે છે હુ રોહન આવે પછી સાથે જ જમી લઇશ. થોડી વાર રોહનની રાહ જોઇ પણ રોહન તો આજ માં બાપના પ્રેમના પારખા કરવા નીકળ્યો છે.

એકાદ કલાક પછી ચિંતા સાથે પુછે છે, બાપુજી હજુ કેમ રોહન આવ્યો નહિ હોય?

દાદા કહે હમણા તો વેકેશન છે એટલે એના કોઇ ભાઇબંધની સાથે બહાર ગયો હશે. તમે જમી લો. મમ્મી જમવા માટે પોતાની પ્લેટ તૈયાર કરે છે. રોટલી પ્લેટમાં મુકે છે અને જોવે છે કે રોહન તો આજ બહારથી આવ્યો હશે. થાકિ ગયો હશે તો એને વધુ ભુખ લાગી હશે એમ કહિને પોતાની પ્લેટમાંથી બે રોટલી પાછી રોહન માટે મુકિ દે. થોડી થોડી બળી ગયેલ હોય એવી બે રોટલી લઈ તે જમવા બેસી જાય છે. રોહન વિચારે છે કે, અરે મમ્મી આટલી બધી મહેનત કરી અને એના ફળની પણ આશા નથી રાખતી. હુ ભુખ્યો ન રહુ એટલે એ ભુખી રહે છે. રોહન થોડો ભાવુક થતો જતો હતો. બપોરના ત્રણ વાગ્યા રોહનના મમ્મી હવે તો હાંફળા ફાંફળા થઇ ગયા હતા. પપ્પાને પણ ફોન કરી દિધો હતો કે રોહન હજુ ઘરે આવ્યો નથી. બધે જ શોધખોળ શરુ થઇ. રોહનના મમ્મી ચોધાર આંસુએ રડતા હતા.

અચાનક રોહનના દાદીને રોહનનો કાગળ મળે છે એમા લખ્યુ હતુ ઘર છોડીને જાય છે. મમ્મી પર તો આભ તુટી પડ્યુ હતુ. મમ્મીનુ હૈયાફાટ રૂદનથી રોહન પણ હલબલી ગયો હતો. એ પણ ત્યા રડતો હતો. થોડી વારમાં પપ્પા ઘરે આવે છે. એ પણ હાંફળા ફાંફળા થઈ ગયા હતા. એ પણ આવીને મમ્મીને શાંત્વના આપતા જાય. મહામહેનતે પોતાના આંસુ સંતાડતા હતા. લગભગ બધાના ઘરે ફોન કરી વળ્યા હતા. ચાર વાગી ગયા બધા હજુ શોધખોળ શરુ હતુ. મમ્મી રડતા હતા. પપ્પા નિરાશ થઇને બેઠા હતા. રોહનનો હાલ પણ કઇક એવો જ હતો. રડી રડીને આંખો સોજી ગઇ હતી. મનમાંથી મારી ચેલેન્સ સામે હાર સ્વીકારવા તૈયાર થઇ ગયો.

તેમણે કઠોર પપ્પા જ હમેશા જોયા હતા. તેની પાછળ રહેલા ઉનાળામાં વટવૃક્ષની છાયાસમો સ્નેહ આપનાર પપ્પા આજ જોયા હતા. એને દરેક વાર અપાતા ઠપકો અને એનુ મહત્વ આજ તેને સમજાઇ રહ્યુ હતુ. પપ્પાની આંખમાં આજ પહેલી વાર આંસુ પણ જોયા હતા. હવે તો રોહનને બીજો કોઇ વિકલ્પ ન હતો. રીતસર હાથપગ પણ ધ્રુજતા હતા.

રોહન સ્ટોર રૂમમાંથી બહાર નીકળી સીધો જ પપ્પાના પગમાં પડી ગયો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. બધાને અચરજ લાગ્યુ કે અચાનક જ આ ક્યાથી આવ્યો? કોઇને કઇ ખ્યાલ જ ન હતો. મમ્મી પણ નાના બાળકને પંપાળે એમ આખા શરીરે હાથ ફેરવી ચુમવા લાગી. સ્નેહથી ભેટી લીધો.ક્યા હતો મારા દિકરા? તારી વગર અમારૂ શુ થશે એ તો વિચાર કર?

આ બધુ અનુભવીને રોહન વધુને વધુ રડતો હતો.

બરાબર એ જ સમયે મે એમના ઘરમાં પ્રવેશ કર્યો અને કિધુ કે કેમ બેટા માતા પિતાના પ્રેમની પરિક્ષા લીધી એમ ને?

મને જોઇને રોહનના ઘરના સભ્યોને અચરજ લાગ્યુ. મને આવકારવાનો સમય કે સંજોગ ન હતા એ પણ સ્વભાવિક હતુ. રોહનનુ શરમથી માથુ જુકિ ગયુ હતુ. મે તેના માથા પર હાથ ફેરવીને એટલુ જ કિધુ કે હજી તારા માટે મોડુ નથી થયુ. તુ સમયસર જ છે. નાપાસ થાય તો આપઘાતનુ ક્યારેય ન વિચારતો. ઉપર વાળાએ આ જીંદગી આપી છે એ જીવવા માટે આપી છે નહિ કે મરવા માટે.ઓછા ટકા આવ્યા એનુ મતલબ એ નથી કે આપઘાત કરવો. તુ માત્ર ભણવામાં નબળો છે એટલે જીંદગીમાં નબળો નથી. તારી મંજીલ સુધી પહોચવા તારો આ રસ્તો બરાબર નથી એમ સમજીને બીજો રસ્તો પકડી જ શકાય છે.શુ આ પાંચ રૂપિયાનો એક કાગળ નક્કિ કરશે કે તુ જીંદગી જીવવા લાયક છે કે કેમ? ના રોહન ના પરિક્ષામાં પરિણામ માટે આપણે જિંદગી નથી જીવવાની આપણે તો જીંદગી દ્રઢ મનોબળથી નિર્ણય લઇને અનેક સિધ્ધિઓ સુધી પહોચવાનુ છે. કમ સે કમ જે વ્યક્તિએ મોતની સામે બાથ ભીડી ગર્ભમાં નવમહિના ઉછેર કર્યો એની વિશે તો વિચારવુ પડે જે તારા માટે અશક્ય જેવુ હતુ એની લાગણી તુ આમ જ સમજી ન શક્તે એટલે જ મે તને આમ કરવા કહ્યુ.

મે રોહનના પપ્પા પાસે માફિ માંગીને સાચી વાત જણાવી. રોહનના પપ્પાએ મને કહ્યુ દોસ્ત તે મારા દિકરાને જીંદગીમાં એ પાઠ શીખવ્યો છે જે ઓક્સફોર્ડ યુનીવર્સિટી પણ શીખવી શક્તે.

મે ત્યાથી વિદાય લીધી. રોહનની આંસુ સુકાયેલ આંખોમાં પસ્તાવો અને કઇક નવુ કરવાની ધગશ સાથે માતા પિતા પ્રત્યે લાગણી હતી જે સ્પષ્ટ દેખાતી હતી.

લેખક : વિજય ખુંટ..શોર્ય..

 
Leave a comment

Posted by on ડિસેમ્બર 21, 2019 માં Sense stories / बोध कथाए

 

ટૅગ્સ: ,

તું અને સાલી તારી આ લાગણી


તું અને સાલી તારી આ લાગણી..
મને હંમેશા હાથવગી મળી..

થાકેલો પાકેલો જ્યારે ઘરમાં ડગલું માંડતો ને
ત્યારે બાળકનાં વ્હાલ ની હુંફ મળી..

બરાબર એ જ સમયે રસોડામાં થી મારા તરફ
તું જે સ્માઈલ ફેંક ને.. મને મારી ડાંડી ત્યાંજ ડુલ મળી..

ખબર હોય છે.. ખુબ મોડુ થયું છે જમવામાં,
પણ દાળ હંમેશા ગરમ મળી..

નાણાકીય કટોકટી.. એટલે મારી રોજનીશી,
પણ ઘર ચલાવામાં તું હોંશીયાર મળી..

આ મારી પતંગ એટલે જ ઉડે છે
ફીરકી પકડવા તું જો મળી..

કેટલાય વેકેશન આપણાં.. બેગમાં જ પડ્યા રહ્યા
પણ તારી આંખોમાં કદી.. ન ફરીયાદ જોવા મળી..

તારી હથેળીએ મારી આંગળીઓ ખબર નહીં કેટલું ચાલી હશે..
જયારે પણ મોકો મળ્યો, એકબીજામાં પરોવાયેલી મળી..

હોય છે હંમેશા વિખરાયેલા.. હું અને દિવસો મારાં
પણ તારી સાથેની રાતો બધl પરોઢ સુધી વીંટળાયેલી મળી..

ભલેને લાખ ફરીયાદો હોય જીંદગીથી છતાં..
તારી સાથેની અમાસ બધી, હંમેશા પુનમ બની ને મળી..

કાયમીનો વસવાટ હોય.. એમ તું મારામાં શ્વસતી રહી..
હું શોધતો રહ્યો ખુદ ને તું મને મારૂ અસ્તિત્વ બની મળી.

 

 
Leave a comment

Posted by on ડિસેમ્બર 20, 2019 માં Poems / कविताए

 

जस्ट पुछिंग


किसी को पता है,
गलतियों पर डालने वाला
पर्दा कहाँ मिलता है..?
और कपडा कितना लगेगा .??
जस्ट पुछिंग …

एक बात बताओ,
धोखा खाने के बाद
पानी पी सकते हैं क्या ?
जस्ट पुछिंग …

एक बात पूछनी थी ..
अगर किसी से चिकनी-चुपड़ी
बात करनी हो तो
कौन सा घी सही रहेगा ?
किसी को पता है ?
जस्ट पुछिंग …

पाप को हमेशा
घड़े में ही क्यूँ भरते है ?
ठंडा रहता है क्या ?
जस्ट पुछिंग …

किसी को पता है..?
ये दिल पर रखने वाला
पत्थर कहाँ मिलता है ?
और वो कितने किलो का होता है ?
जस्ट पुछिंग …

किसी के जख्मों पर
नमक छिड़कना है।
कौन सा सही रहेगा?
टाटा या पतंजलि …?
जस्ट पुछिंग …

कोई मुझे बताएगा कि
जो लोग कही के नही रहते,
आखिर वो रहते कहां हैं ?
जस्ट पुछिंग …

कोई बता सकता है कि
सब लोग “इज्जत” की
रोटी कमाना चाहते हैं।
लेकिन कोई “इज्जत” की
सब्जी क्यों नहीं कमाता..?
जस्ट पुछिंग …

एक बात बताओ,
भाड़ में जाने के लिए
ऑटो ठीक रहेगा या टैक्सी ?
जस्ट पुछिंग …

एक बात पूछनी थी,
ये जो इज्ज़त का
सवाल होता है….

ये कितने नम्बर का होता है ?

जस्ट पुछिंग …

SOURCE : WHATSAPP

 
1 ટીકા

Posted by on ડિસેમ્બર 19, 2019 માં Poems / कविताए

 

કમિશન


‘મલય, આમને કુર્તા બતાવી દેજે. તેમની એક સાડી કાઉન્ટર પર બિલ માટે મુકી છે. મારે બીજા કસ્ટમર છે.’ કપડાના શોરૂમમાં સેલ્સમેન પોતાના કસ્ટમરની આપલે કરતા હોય તેવી જ રીતે જૈમિને તેના એક કસ્ટમરને મલય તરફ મોકલ્યા.

પોતાના ગ્રાહકમાં વ્યસ્ત મલયે ગામડાના સાવ અભણ અને ગમાર લાગતા તે પતિ-પત્નિ તરફ જોયું તો એક ક્ષણ માટે તેને પણ અરુચિ આવી ગઇ. મલયે તેમને સામે રહેલા સોફા પર બેસવાનો ઇશારો કર્યો અને તે ચુપચાપ બેસી ગયા.

‘ગામડિયા લાગે છે સાવ…! કંઇ લેશે નહી’ને માથુ ખાશે… સિઝનમાં ટાઇમ બગાડશે.’ બાજુમાં જ ઉભેલી રાધિકા પણ છુપા કેમેરામાં તેના મોંની લકીરો પકડાઇ ન જાય એ રીતે અવળા ફરીને મલયને કહીને ચાલી ગઇ. તે હજુ દૂર હતા એટલે મલયે તેના અત્યારના ગ્રાહક તરફ જ ધ્યાન આપ્યું.

‘હા, સર તો આપ આ કુર્તો પેક કરાવી જ લો…! મેડમની કલર ચોઇસ અફલાતૂન છે અને હાલની લેટેસ્ટ ફેશનની તેમને ખૂબ સારી જાણકારી છે. તેમને લીધેલી સાડી સાથે પણ મેચ થાય છે.’ મલયની સેલ્સ સ્ટાઇલ એટલી પાવરફૂલ હતી કે કોઇપણ ગ્રાહક ત્યાંના શો રૂમના કપડા પરની પ્રાઇઝ ટેગને પણ ભૂલી જાય.

‘હા, પેક કરી જ દો…!’ સામે ઉભેલા મેડમે પોતાના વખાણ સાંભળતા ખુશ થઇને તરત જ કહી દીધું. જો કે તે ભાઇ કંઇક વિચારીને પછી બોલ્યા, ‘મને આવો એક બીજો કુર્તો મારા પપ્પા માટે પણ બતાવો.’

‘એમને ક્યાં જરૂર છે?’ બાજુમાં ઉભેલા મેડમે તરત જ તે ભાઇનો હાથ દબાવતા હળવેથી કહ્યું અને તે વાત મલયની નજરે ચઢી ગઇ.

‘કેમ મેડમ, ઘરમાં પ્રસંગ તો વડીલોથી જ શોભે’ને…! અત્યારે અમારી પાસે તદ્દન નવી વેરાઇટી આવી જ છે…!’ મલયે પેલા ભાઇ તરફ ઝોક આપીને કહ્યું.

‘હા… જરૂર બતાવ..!’ તેને તેની પત્નીનો હાથ સહેજ દૂર કરતા કહ્યું.

‘બહુ મોંઘો ન લેતા… તેમની ઉંમર હવે આવી હાઇ ફાઇ બ્રાન્ડના કપડા પહેરવાની નથી.’ તે સ્ત્રીના અવાજથી મલયે વ્યક્તિ અને વસ્તુ બન્નેની કિંમતનો ક્યાસ કાઢી લીધો હતો. આખરે એક એવરેજ કિંમતના કુર્તા પર તેમની નજર ઢળી. તેમનુ કુલ બિલ તો મોટું થયું હતુ એટલે મલયે પોતાના કમિશનની પણ મનમાં ગણતરી કરી લીધી હતી.

પેલા બન્ને હજુ સામે જ બેઠા હતા… દેખાવે સાવ લઘરવઘર, એસીવાળાં શો રૂમમાં પહેલીવાર આવ્યા હોય તેમ તે ચારેબાજુ બધુ જોઇ રહ્યા હતા. ગરીબી તથા લાચારી બન્નેના ચહેરા પર સાફ સાફ દેખાઇ રહી હતી. આખરે મલયે તેમને નજીક આવવા ઇશારો કર્યો. તે બન્ને તેમના ચંપલ શો રૂમની બહાર કાઢીને આવ્યા હતા. ગંધાતા પગ અને પરસેવાને કારણે તે બન્નેના પગની કાળી છાપ ત્યાં સફેદ ફર્શ પર પડી ગઇ હતી.

‘બે ઝબ્બા લેવાના શી, ઇક ઇમના હાટુ ને ઇક બાપુ હાટુ…!’ પેલી સ્ત્રીએ વાતની શરૂઆત કરી.

મલયે સાઇઝ પૂછી અને ઝડપથી તેમને શોભે એવા કુર્તા બતાવ્યા… જો કે તે સ્ત્રી સહેજ ભણેલી હોય એવુ લાગ્યું… તે કુર્તો જુએ એટલે તરત તેના પર લખેલી કિંમત જુએ અને તે કુર્તાના રંગરૂપ જોયા વિના બાજુમાં મુકી દે. મલયને સમજાઇ ગયું કે શહેરનો સૌથી મોંઘો અને હાઇ બ્રાન્ડનો આ શો રૂમ તેમને પરવડે એમ નથી અને પોતાને વધારે કમિશન મળે તેમ પણ નથી.

‘ઇમ કરો તમે આ લઇ લો… પૈણવા આઇવા તા તંઇ તમારા ભાઇબંધનો આ જ રંગનો ઝબ્બો પેરીને આઇવા તા… બહુ સરસ લાગતા તા…!’ તેને તેની ગામડાંની ખૂબ નિર્દોષ ભાષામાં કહ્યું અને મલયને તેની ચોઇસ કરવાની છટા જોઇને મજા આવી.

પેલાએ તો ફક્ત તેનો જમણો હાથ ઉપર કરી પહેલી આંગળી અને અંગુઠો ફરકાવી ઇશારાથી કિંમત જ પુછી. તે સ્ત્રીએ તેની નજીક જઇને તેની કિંમત કહેતા તેના ચહેરાની રેખાઓ તંગ થઇ ગઇ હતી.

‘હવે બીજો ઝબ્બો, ઇમના બાપુ હાટુ બતાવજો…ઇમની જ સાઇઝ શે…!’ તે ભલે અભણ હતી પણ તેની બોલી ગમે તેવી હતી.

‘બાપુજી મોટી ઉંમરના છે એટલે આનાથી થોડો સસ્તો બતાઉં…?’ મલયે તેના અનુભવે બોલી નાખ્યું તો ખરુ પણ ત્યાં પેલી સ્ત્રીએ તરત જ કહ્યું, ‘ના, લગીરેય સસ્તો નહી… ભાણીજડાના લગન શે… અમારા બાપુનો વટ પડવો જોઇએ. બાપના લુગડાં કરતા દિકરાના લુગડા મોંઘા થોડા હોય…?’ તેને જે રીતે કહ્યું તે સાંભળીને મલય છક થઇ ગયો.

મલય ખરેખર પહેલીવાર એક અનોખો જ અનુભવ કરી રહ્યો હતો. પેલી સ્ત્રીએ એક બીજો કુર્તો પસંદ કર્યો. પેલાએ તો ફક્ત તેમાં હા જ કહેવાની હતી. તેને ફરી હાથ ઉપર કરી પૈસા પુછ્યા. તેની આંખોમાં બન્નેની કિંમતના થતા સરવાળા સાફસાફ દેખાઇ રહ્યા હતા.

તે થોડે દૂર ગયો અને તેની પત્નીને નજીક બોલાવી કહ્યું, ‘તઇણના એટલા બધા થાય…! મારો ઝબ્બો મેલ, મારે નહી લેવો. તારી હાડી અને બાપુનો ઝબ્બો બરોબર શે.’ મલયની નજર ભલે તેમની તરફ નહોતી પણ કાન તો તેમની તરફ જ હતા.

‘ઇમ થોડું હાલે…! હું પેલી ભગલીએ આપેલી હાડી પેરી લઇશ… હઉ ભેગા થશે તો તમારી હામુ જોશે… બાપુ હામે જોશે… ને તમેય કેટલા વરહથી નવા લુગડા નથી લીધા અને બાપુને પણ આપણ જીવતે જીવત ફાટેલા લુગડા થોડા પેરવા દઇએ ઇમા તો આપણી લાજ જાય…!’ તેમની વાત પરથી મલયને સમજાઇ ગયું કે તે સાવ ભોટ કે ગમાર નહોતા. તેમની સમજણ તેના અનેક સ્માર્ટ ગ્રાહકો કરતા અનેકગણી સમજણી હતી.

‘કેટલા વરહથી તે એકેય નવી હાડી નહી લીધી… તુ લઇલે મારે હાલશે.’ બન્ને વચ્ચે થોડી રકઝક થઇ.

મલયથી હવે વધુ રાહ જોવાય એમ નહોતુ એટલે તે બોલ્યો, ‘તો બન્ને ઝભ્ભા પેક કરાવી દઉં છું.’

તે કોઇ નિર્ણય લે તે પહેલા તે બહેને ઉતાવળથી કહ્યું, ‘તમે કમિશન તો આલશો’ને…?’

‘કમિશન…?’ મલયને આ શબ્દ સાંભળતા અંદર ગણતરી કરેલા કમિશનના આંકડાઓ ખૂંચવા લાગ્યા. આજ દિવસ સુધી મલયને આ કમિશન શબ્દ સુંવાળો લાગતો હતો પણ અત્યારે કેમ જાણે તે કાંટાની જેમ ખૂંચ્યો.

‘તમે ભાવ ઓશો કરો ઇ… તહેવારે તો સંધાય શો રૂમવાળા કમિશન આલે શે…!’ પેલી સ્ત્રીએ ફોડ પાડ્યો તો મલયને ટાઢક વળી.

‘તેને ડિસ્કાઉન્ટ કહેવાય… કમિશન નહી અને આ શો રૂમમાં ફિક્સ રેટ જ છે.’ મલયે તેમને સમજાવતા કહ્યું.

‘હા તો ઇ ફિસ્ક રેટ આલો…! પણ ઓશુ કરો…!’ પેલીએ સહજભાવે કહ્યું.

‘ફિક્સ રેટમાં ઓછું ન થાય….!’ મલયે તેનું હાસ્ય દબાવી બિલ કાઉન્ટર તરફ ચાલતો થયો.

તે બન્ને મલયની પાછળ પાછળ ફક્ત બે કુર્તા જ લેવા છે તે આખરી નિર્ણય કરીને આવી ગયા. મલય તેમની મજબૂરી સારી રીતે સમજી ચુક્યો હતો એટલે તે બન્ને કુર્તા પેક કરી આપ્યાં અને સાડી બાજુમાં મુકી દીધી. મલયની આંખો થોડીવાર સુધી તે સાડી પર ચોંટી ગઇ. તે ન ખરીદાયેલી સાડી તે સ્ત્રીની સમજણનું સમર્પણ હતું. તેની પ્રાઇઝ ટેગ પર નજર પડી તો તેની કિંમત તેને આજના મળેલા કમિશન જેટલી જ હતી અને તેને એકાએક વિચાર આવ્યો.

મલયે તે સાડી પેક કરી બિલ બનાવડાવી તેમની પાછળ દોડ્યો. દરવાજેથી થોડે જ દૂર ગયેલા તેમને ઉભા રાખી સાડી આપતા કહ્યું, ‘એક મિનિટ, ઉભા રહો…! અમારા શો રૂમમાં કમિશન હતું, પણ હું તમને સાચી માહિતી આપવાની ભૂલી ગયો હતો. તમારા બે કુર્તા સાથે આ સાડી ફ્રી છે.’

તે સાડી હાથમાં લેતાં જ તેમના ચહેરા પર ઉઠેલી બે ઘડીની ખુશીનો ચળકાટ મલયને અનોખી જ ખુશી આપતો ગયો.

પેલી સ્ત્રીએ મલયને કહ્યું, ‘મને હતુ જ કે આવી મોટી દુકાનોમાં કમિશન હોય શે જ…! પણ અમને ભોળાં હમજી નહી જ કે’તા હોય…! આ તો હારુ થ્યું કે તમારો આતમ જાગ્યો, નકર તો અમને લુંટી જ લ્યો’ને…!’ તેની ભાષા અને હૃદય અત્યારે પણ સાવ નિર્દોષ જ હતુ એટલે મલય ફક્ત હસીને પાછો વળી ગયો.

*******

લેખક : ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ
મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

 
1 ટીકા

Posted by on ડિસેમ્બર 18, 2019 માં Dr. Vishnu M. Prajapati

 

ટૅગ્સ: ,