દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.
એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.
ફૂલો લઇને બાગમાંથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.
વરસ્યા વિના જતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.
Daily Archives: ઓક્ટોબર 29, 2012
રહી ગયા…
એક દિન ભગવાન ને કહા…
મારી એકલતાના મ્યુઝિયમમાં
મારી એકલતાના મ્યુઝિયમમાં
સંસ્મરણોની સજાવટ મેં શરૂ કરી છે,
તારી સાથેની વાતો, તારી નિકટતાનો
અહેસાસ, કેટલીય ઊર્મિઓ તેમાં ભરી છે,
તું આવીશ-હું આવીશ, ને મળીશું આપણે
પ્રતીક્ષા તો બસ દ્વાર પર ખડી છે,
આવ્યો છે
મારા જીવનમાં તું એક ‘કાશ’ બનીને આવ્યો છે,
લાગે છે ત્યારે ‘હાશ’ બનીને આવ્યો છે,
તને મળવાનું મન થાય ઘણું, પણ શું કરું?
સમય પણ કેવો ‘ત્રાસ’ બનીને આવ્યો છે.
તારી યાદ આવે ને બની જાય છે કવિતા
તારો ચહેરો પણ ‘પ્રાસ’ બનીને આવ્યો છે,
તું નથી કંઇ મારો, પરંતુ લાગે ફક્ત મારો
જીવનમાં મારા તું ‘ખાસ’ બનીને આવ્યો છે,
તું સમજીશ મને, મારા જજબાતોને
હૃદયમાં એક એવો ‘વિશ્વાસ’ બનીને આવ્યો છે
જે તમારા પર ગંદકી નાખે તે તમારો શત્રુ જ હોય તેવું નથી.
શિયાળાની કડકડતી ઠંડી ચાલી રહી હતી.
બર્ફીલો પવન સૂસવાટા મારી રહ્યો હતો.
પશુ પંખીઓ પોતપોતાના સ્થાને લપાઈ ગયા હતા.
એવા વખતે એક પંખી ડાળે ડાળે ઉડી રહ્યું હતું.
અંતે તેને પણ કાતિલ ઠંડી લાગી ગઈ અને તે બેભાન થઈને
..
..
..
એવામાં એક ગાય ત્યાંથી નીકળી.
બેહોશ પંખીને જોઈને તેણે પંખીની ઉપર છાણ કર્યું.
પંખી આખું છાણમાં દટાઈ ગયું.
પણ છાણની ગરમીથી થોડીવારે તેને હૂંફ વળી અને તે
ભાનમાં આવ્યું
અને તે ગીતો ગાવા લાગ્યું.
આ ગીત રસ્તે જતી એક બિલાડીએ સાંભળ્યું અને
તેણે છાણ ખસેડીને પંખીને બહાર કાઢ્યું અને તેને ખાઈ ગઈ.
..
..
..
બોધ…:
* જ્યારે વખત પ્રતિકુળ હોય, ત્યારે આડેધડ ન રખડો.
* જે તમારા પર ગંદકી નાખે તે તમારો શત્રુ જ હોય તેવું નથી.
* જે તમને ગંદકીમાંથી બહાર આવવામાં મદદ કરે તે
તમારો મિત્ર જ હોય તેવું પણ નથી. અને સૌથી મોટી વાત..
* જ્યારે તમે ગંદકીમાં ફસાયા હો (તમારો વખત ખરાબ હોય)
ત્યારે મોઢું બંધ રાખો.